ગુજરાત

વિવાદ બાદ સાળંગપુર મંદિરના તમામ ગેટ બંધ કરાયાહનુમાનજીના દર્શન ન થતા શ્રદ્ધાળુઓમાં રોષ

સાળંગપુર મંદિરમાં વિવાદ બાદ તમામ ગેટ આજે રવિવારે બંધ કરી દેવાયા છે. મંદિરની ફરતે ચુસ્ત પોલીસ કાફલો ખડકી દેવાયો છે. વિવાદ વચ્ચે સાળંગપુર મંદિરના દરવાજા બંધ કર્યા બાદ ફરી ખુલ્યા હતા. જેને કારણે ભક્તો અટવાયા હતા. વહેલી સવારથી ભક્તો હેરાન પરેશાન થતાં ભક્તોમાં રોષ ઉઠ્‌યો હતો. દર્શનાર્થીઓના રોષને જાેતા હાલ ગેટ ખોલવામાં આવ્યા હતા. હાલ એક ગેટ દ્વારા શ્રદ્ધાળુઓ દર્શન કરવા જઈ રહ્યા છે. સાળંગપુરમાં હનુમાનજીના ભીંત ચિત્રોનો વિવાદ વકરતાં મંદિરના ગેટ બંધ કરાયા છે. તમામ ગેટ બંધ કરાતા દર્શનાર્થે આવેલાં ભક્તો હેરાન-પરેશાન થયા હતા.

દર્શન કરવા આવેલા ભક્તો માટે પણ ગેટ બંધ કરાયા હતા. દરવાજા બંધ કરાતા ભક્તોએ દાદાના દર્શન કરવા માટેની માગણી કરી હતી. સાળંગપુરમાં આવેલા ભક્તોએ કહ્યું કે, ભીંત ચિત્રોનો જે વિવાદ હોય તે તાત્કાલિક હટાવવા જાેઈએ. હનુમાનજી મહારાજ કોઈના દાસ નથી, તેઓ માત્ર રામના દાસ છે. વિવાદ જે કંઈપણ હોય પરંતુ અમે દાદાના દર્શન કરવા આવ્યા છીએ. ભક્તોના વિવાદ બાદ દર્શનાર્થીઓના રોષને જાેતા ગેટ ખોલવામાં આવ્યા હતા. એક ગેટ દ્વારા શ્રદ્ધાળુઓ દર્શન કરવા જઈ રહ્યા છે.

Related Posts