સાવરકુંડલા ખાતે થી પીર સૈયદ દાદાબાપુ કાદરી ઉમરાહ હજજ ની સફરે જવા રવાના થયા કોમી એકતાના પ્રતીક અને લોકોના દિલમાં આગવું સ્થાન ધરાવતા અને નિસ્વાર્થ પણે વ્યસન મુક્તિ અભિયાન ચલાવતા તેમાં અઢળક હિન્દૂ મુસ્લિમ વ્યક્તિઓને ગંભીર વ્યસનથી મુક્ત કરાવવામાં જેમનું ખૂબ મોટું યોગદાન છે. આવાં મહાન સમાજ સુધારક પીર તરિક્ત સરકાર સૈયદ અલ્હાજ દાદાબાપુ કાદરી સાવરકુંડલા થી મક્કા મદીના સાવરકુંડલા ખાતેથી ઉમરાહ ની સફરે જતા પીર તરિક્ત અલ્હાજ દાદાબાપુ કાદરીનું જુમ્મા મસ્જિદમાં સન્માન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં સાદાતે કિરામ ઉલમાએ કિરામ હાજી સાહેબો વિવિધ જમાતના પ્રમુખો આગેવાનો વિગેરે એ મુસ્લિમ સમાજે ફુલહાર કરી સન્માન કરેલ હતું ત્યાર બાદ
આ સન્માન કાર્યક્રમ વખતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતા અને એ નુરાની જલ્સાઓમાં સામીલ થઈ દાદાબાપુની દુઆ ઓ નો ફેજ લીધો હતો એમ ઈકબાલ ગોરીની એક યાદીમાં જણાવાયું હતું.
Recent Comments