આજે બપોરે વલસાડ રેલવે સ્ટેશન પર એક ટ્રેનમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. જાેકે, કોઇ જાનહાનિના સમાચાર નથી મળ્યા. આ ટ્રેનમાં આગ કઇ રીતે લાગી તેનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. પરંતુ આ ઘટનાથી સ્ટેશન પર હડકંપ મચી ગયો હતો. મળતી માહિતી પ્રમાણે, વલસાડના છીપવાડ નજીક આજે બપોરે વલસાડ સ્ટેશનને અચાનક ટ્રેનમાં આગ લાગવાની ઘટના ઘટી છે.
સ્ટેશનથી થોડે દૂર આવેલ છીપવાડ જકાતનાકા પાસે લાગી આ આગ એક ટ્રેનના એન્જિનમાં લાગી હતી. આ ટ્રેન શ્રીગંગાનાગરથી તિરુચિરાપલ્લી રૂટની હતી અને જ્યારે તે વલસાડથી સુરત જઇ રહી હતી, તે દરમિયાન અચાનક ટ્રેનમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. આ ટ્રેનનો એક ડબ્બો અચાનક આગની ઝપેટમાં આવી ગયો. આગ વલસાડના છીપાવાડા નજીક દેખાઇ હતી, જ્યારે આગ લાગી તે સમયે સાયરન લગાવીને રેલવે વિભાગને જાણ કરવામાં આવી હતી. આગની ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો રેલવે ટ્રેક પર પહોંચી ગયા હતા. અને બચાવ કામગીરી શરૂ કરાવી હતી. આ ઘટનાની ગંભીરતાને જાેતા રેલવે ટ્રેક પર રેલવેના અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને ફાયર એક્સત્રિમેશન દ્વારા આગને ઓલાવવાનો શરૂ કરાયો હતો.
Recent Comments