અમરેલી

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણી તથા પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત દ્વારા ડો. જસાણી સાહેબને શ્રદ્ધાંજલિ

 અમરેલી જિલ્લાના ધારીને પોતાની કર્મભૂમ બનાવીને જીવનના અંત સુધી લોકસેવક બંની ને પ્રજાના કલ્યાણના કાર્ય કરી લોક હૃદયમાં પોતાનું સ્થાન બનાવીને સમગ્ર અમરેલી જિલ્લાનું એક આદર્શ વ્યક્તિત્વ એવા ડો. જયસુખભાઈ જસાણી સાહેબનું ૯૧ વર્ષ ની વયે નિધન તથા જિલ્લાને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. ડોક્ટરના વ્યવસાય સાથે સંકળાયેલ ડો.જસાણી એક મૂલ્ય નિષ્ઠ સમાજ સેવી, ગાંધીવાદી વિચારસરણી ને વરેલા નિષ્ઠાવાન રાજકારણી સાથે ગરીબો અને પછાતો ના બેલી હતા.અમરેલી જિલ્લા પંચાયતમાં સતત ૧૦ વર્ષ સુધી પ્રમુખ તરીકે સેવા આપી અલગ અલગ સામાજિક, શૈક્ષણિક તથા સહકારી સંસ્થાઓ સાથે તેઓ આજીવન જોડાયેલ હતા.આવા એક વિરલ વ્યક્તિની અચાનક વિદાય થતા જિલ્લાને ન પુરાય તેવી ખોટ પડી છે.અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ડી.કે.રૈયાંણી તથા સાવરકુંડલા- લીલીયા ના પૂર્વ ધારા સભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત સહિત કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા તેમના કાર્યોની નોંધ લઇ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવેલ હતી.

Related Posts