તારીખ ૨૧-૧-૨૪ ના દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરતા સાવરકુંડલાના રેલ્વે સ્ટેશનને અમૃત ૨ માં રીનોવેશન માટે જ્યારે સમાવેશ કરેલ છે ત્યારે રેલ્વે સ્ટેશનની સલાહકાર સમિતિની બેઠક મળી જેમાં (૧).LC 62 માં આવેલ અંડરગ્રાઉન્ડ બ્રિજ જે વિસ્તારમાં આવન જવાનું વધારે હોય જેના કારણે ઈમરજન્સી એમ્બ્યુલન્સને પસાર થવા માટે મુશ્કેલી પડતી હોય તે બાબતે આ અંડર ગ્રાઉન્ડ બ્રિજને પહોળું કરી અને ઉંડુ ઉતારવું. (૨). લીલીયા મોટા તરફના રસ્તા પર આવેલ બ્રિજને નાળાની દિવાલ સુધી લંબાવવી (૩) Lc64 નજીકમાં હોસ્પિટલ, માર્કેટિંગ યાર્ડ ખાતે તેમજ મસ્જિદ આવેલી હોય જન ટ્રાફિકની સમસ્યા આવક જાવકની વધારે હોય જેના કારણે તેને મરામત કરવું.(૪) Lc64B જેસર રોડ ખાતે આવેલ વિસ્તારમાં મુખ્ય રસ્તો હોય જ્યાં ટ્રાફિક ક્લીયર કરવામાં સમસ્યા આવે છે જેના કારણે તેને મરામત કરવું. (૫) રેલ્વે સ્ટેશન વિસ્તારમાં પગદંડી બનાવવી ઉપરોક્ત પાંચ વિષયો પર આ રેલવે બોર્ડની સલાહકાર સમિતિના સભ્યો પ્રવીણભાઈ સાવજ, રાજેશભાઈ નાગ્રેચા, વિજય સિંહ વાઘેલા, મેહુલભાઈ ત્રિવેદી, પ્રતીકભાઈ નાકરાણી તેમજ સ્ટેશન માસ્તરની ઉપસ્થિતિમાં નિર્ણયો લેવાયા હતા
સાવરકુંડલા ખાતે રેલ્વે સ્ટેશનના સલાહકાર સમિતિની બેઠક મળી

Recent Comments