અમેરિકા સ્થિત સૂરજબેન ચુનીલાલ છગનલાલ શાહ પરિવાર તરફથી શ્રી ગોપનાથ માધ્યમિક શાળાને પાણીનું પરબ બંધાવી આપવામાં આવ્યું છે. જેના લોકાર્પણ કાર્યક્રમ માં શાળાના આચાર્યશ્રી અને ગ્રામજનો જોડાયા હતા.આ કાર્યક્રમમાં મુંબઈસ્થિત આદરણીયશ્રી પરમાનંદદાદા અને શ્રી હેમંતભાઈ શાહ હાજર રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. અમેરિકામાં રહેતા શ્રી અશોકભાઈ આ ઊંડાણની અને જરૂરિયાત વાળી શાળાઓમાં છેલ્લા પંદર વર્ષથી દાન આપીને પ્રાર્થના કક્ષ અને પાણીના પરબ બનાવી આપેલ છે. તેમના આ ઉમદા કાર્યને માટે શાળા પરિવાર અને ગ્રામજનોએ આનંદ સાથે આવકારીને આભારની લાગણી વ્યક્ત કરી હતી.આ જ પરિવાર દ્વારા તળાજા તાલુકાની બીજી શાળા ની બાખલકા પ્રાથમિક શાળામાં પણ સૂરજબા જલધારા (પાણીનું પરબ)બનાવી આપવામાં આવેલ છે. સાથે મહુવા તાલુકાની સ્વામી સોસાયટી કેવ શાળામાં પણ પાણીનું પરબ બંધાવી આપેલ છે.સાથે 600 બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરાઇ હતી. આ સત્કાર્યની પ્રશંસા થઈ રહી છે.
ગોપનાથ માધ્યમિક શાળા સખવદર ગામે સૂરજબા જલધારા લોકાર્પણ નો કાર્યક્રમ યોજાયો.

Recent Comments