અમરેલી

સાવરકુંડલા શહેરમાં આગામી રામનવમીનો તહેવાર ભવ્ય રીતે ઉજવવા માટે અહીં રામ જન્મોત્સવ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

ચૈત્ર માસનો પ્રારંભ થયો. આ ચૈત્રી નવ રાત્રિ દરમિયાન ઉપવાસ, એકટાણા, અનુષ્ઠાન વગેરે ધાર્મિક વિધિ સાધના ભાવિક જનો દ્વારા કરવામાં આવશે.  આ દરમિયાન રામનવમીનો તહેવાર પણ હવે ખૂબ ઢુકડો છે ત્યારે સાવરકુંડલા શહેરમાં આ પર્વને રંગે ચંગે ધાર્મિક આસ્થા અને ઉત્સાહ સાથે ઉજવવા માટે અહીં રામ જન્મોત્સવ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે એ અનુસંધાને અહીં પોસ્ટ ઓફિસ રોડ પર મીના સ્ટુડિયો પાસે આવેલ રામજન્મોત્સવ સમિતિની કાર્યાલય ખાતે ધર્મપ્રેમી જનતા આ પર્વને ઉજવવા માટે અહીંથી ધજા, ગાડી ધજા, પતાકા, દોરી શોભાયાત્રા સંદર્ભેનું સાહિત્ય ઓફિસ પરથી સૌ ધર્મપ્રેમી લોકોને મેળવી લેવા અને આ જન્મોત્સવ સમિતિ આયોજિત રામનવમીના પાવન પર્વ નિમિત્તે નીકળતી ભવ્ય શોભાયાત્રામાં ઉપસ્થિત રહેવા રામજન્મોત્સવ સમિતિના પ્રમુખશ્રીએ તમામને જાહેર હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે. અને તારીખ ૯-૪-૨૪ના રોજ અહીં પોસ્ટ ઓફિસ રોડ, મીના સ્ટુડિયોની બાજુમાં આવેલ રામજન્મોત્સવ કાર્યાલય ખાતે રાત્રે નવ કલાકે સંગીતમય શૈલીમાં હનુમાન ચાલીસાના પાઠનુ આયોજન કરવામાં આવ્યું છે આ તકે સાવરકુંડલા શહેરના સૌ સનાતની ભાઈઓ, બહેનો, શહેરીજનો તથા વિવિધ મંડળોના સભ્યોએ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના આ કાર્યક્રમમાં અચૂક પધારવા આ સમિતિ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. તેમ સતીષ પાંડેએ એક યાદીમાં જણાવ્યું હતું.

Related Posts