મોરારીબાપુ દ્વારા મહુવાના તલગાજરડા ગામના ચિત્રકૂટધામ ખાતે હનુમંત સંગીત મહોત્સવ નો પ્રારંભ થયો છે. પ્રતિવર્ષની જેમ શ્રી હનુમાન જયંતીની ઉજવણી ના ભાગ રૂપે અહી દેશભરના ખ્યાતિપ્રાપ્ત સંગીત અને કલાના સાધકો ઉપસ્થિત રહી ને હનુમાનજી મહારાજ ને વિશેષ અંજલિ અર્પે છે . આજે રાત્રિના 8 કલાકે ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે હનુમાનજી મહારાજ ની પ્રતિમા સમક્ષ દેશના સુપ્રસિદ્ધ બાંસુરી વાદન શ્રી રાજેન્દ્ર પ્રસન્ના એ પ્રારંભે બાંસુરી વાદન પ્રસ્તુત કર્યું હતું. તેમજ પદ્મશ્રી વિજય ઘાટે દ્વારા તબલા વાદન (તાલચક્ર) ની પ્રસ્તુતિ સૌ એ માણી હતી. આ સંગીત મહોત્સવની પૂર્ણાહુતિ 23 ને મંગળવારે થશે.
તલગાજરડા હનુમંત સંગીત મહોત્સવ નો પ્રારંભ

Recent Comments