સાવરકુંડલા ઉતાવળા હનુમાનજી ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા સર્વરોગ આયુર્વેદ નિદાન કેમ્પ યોજાયો.
સાવરકુંડલા મહાકાળી ચોક ખાતે આવેલ સુપ્રસિધ્ધ ઉતાવળા હનુમાનજી મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રેરીત ડોકટર હેડગેવાર સેવા સમિતિ સાવરકુંડલા તેમજ નિયામક આયુષની કચેરી ગુજરાત રાજ્ય દ્વારા જિલ્લા આયુર્વેદ અધિકારી અમરેલી ના માર્ગદર્શન અંતર્ગત સર્વરોગ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આકેમ્પનો લાભ લેનાર દર્દીઓને વિનામૂલ્યે આયુર્વેદિક દવાઓ વિતરણ કરવામાં આવી હતી તેમજ આયુર્વેદ નિદાન કેમ્પમા સારવાર સાથે લોકો ને દિનચર્યા તથા ઋતુચર્યા તથા ઋતુજન્ય રોગચાળા થી બચવા ના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામા લોકોએ લાભ લીધો હતો આનિદાન કેમ્પમાં વૈધ કે.બી. ગોંડલીયા તથા વૈધ દેવેન્દ્ર ચૌહાણ એ સેવા આપી હતી.
Recent Comments