અમરેલી જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં તાલુકા અને નગરપાલિકા કક્ષાની ઉજવણી અંતર્ગત ઠેર-ઠેર તિરંગા યાત્રાઓ યોજવામાં આવી રહી છે. ભારતની આન, બાન અને શાન એવા તિરંગાનું વિતરણ થઇ રહ્યું છે.સમગ્ર અમરેલી જિલ્લો દેશભક્તિના રંગોમાં રંગાયો છે. રાજુલા, બગસરા, બાબરા અને ખાંભા, જાફરાબાદ તાલુકામાં વિવિધ શહેરી અને ગ્રામ્ય કક્ષાએ ઉત્સાહભેર તિરંગા યાત્રા યોજાઈ, જેમાં વિદ્યાર્થીઓ, મહાનુભાવો, નાગરિકો સહિત તિરંગા યાત્રામાં જોડાયા હતા. તિરંગા યાત્રામાં સ્થાનિક પ્રતિનિધિઓ પણ હર્ષભેર જોડાયા હતા.
નાગરિકોએ સેલ્ફી સ્ટેન્ડ પર સેલ્ફી ક્લિક કરાવી હતી અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, આ અભિયાનની સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.તાલુકા કક્ષાના કાર્યક્રમ અંતર્ગત દેશભક્તિ ગીતની સ્પર્ધાઓ, ચિત્ર સ્પર્ધા સહિતના કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ.હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે અમરેલી જિલ્લામાં તા.૧૫ ઓગસ્ટ સુધી અનેકવિધ કાર્યક્રમો યોજાશે. તા.૧૪ ઓગસ્ટના રોજ અમરેલી ખાતે જિલ્લાકક્ષાની ઉજવણી થશે, જેમાં નાગરિકોને જોડાવા અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Recent Comments