કોઈ અજાણ્યા દાતા દ્વારા લાખો રુપિયાનું સોનું અંબાજી મંદિરની દાન પેટીમાં મુકવામાં આવ્યુ હોય તેની ઘટના સામે આવી
બનાસકાંઠા જિલ્લામાં આવેલા શક્તિપીઠ અંબાજી મંદિરમાં આખું વર્ષ ભારે ધસારો જાેવા મળતો હોય છે. ભક્તોના ઘોડાપૂર સાથે અહીં દાનની પણ સરવાણી જાેવા મળતી હોય છે. અંબાજી મંદિરમાં લાખો રુપિયાના સોનાનું દાન પણ ભક્તો દ્વારા કરવામાં આવતુ હોય છે. જાે કે પહેલી વાર અજાણ્યા દાતા દ્વારા લાખો રુપિયાનું સોનું દાન પેટીમાં મુકવામાં આવ્યુ હોય તેની ઘટના સામે આવી છે.
કોઈ અજાણ્યા શ્રદ્ધાળુએ ‘સુવર્ણ’ ભેટ અર્પણ કરી છે. મંદિરનો ભંડાર ખુલતા અંદરથી સોનાની ૧૦ લગડી મળી આવી છે. એક ભક્તે ૧૦૦ ગ્રામ વજનની ૧૦ લગડી મંદિરમાં ભેટ ચઢાવી હોવાની ઘટના સામે આવી છે. સોનાની ૧૦ લગડી ચુંદડીમાં બાંધેલી હાલતમાં મળી આવી છે. કુલ એક કિલો વજનની લગડીની કિંમત ?૭૦ થી ?૭૫ લાખ રુપિયા હોવાની માહિતી છે.અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી હાલમાં ચાલુ જ છે. મંદિરને સોને મઢવા શ્રદ્ધાળુઓ દ્વારા સતત સુવર્ણનું દાન કરવામાં આવતુ હોય છે, ત્યારે ફરી એકવાર સોનાના દાનનો આ પ્રવાહ યથાવત જાેવા મળી રહ્યો છે.
Recent Comments