ભાવનગર

સિહોર આઈ.ટી.આઈ ખાતે તા. ૧૩ સપ્ટેમ્બરના એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે

ભાવનગર જીલ્લા નોડલ સંસ્થા, ઔદ્યોગીક તાલીમ સંસ્થા સિહોર અને ઔદ્યોગીક તાલીમ સંસ્થા પાલીતાણાના સયુંકત ઉપક્રમે ગુજરાત સરકારશ્રીની મહત્વની યોજના મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ભાવનગર જીલ્લામાં સમાવિષ્ટ વિવિધ ખાનગી અને સેવાકીય એકમોમાં એપ્રેન્ટીશીપ તાલીમ યોજના અંતર્ગત ખાલી જગ્યાઓ પર ધોરણ ૮ પાસથી ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ કે ફ્રેશર ઉમેદવાર તરીકે જે કોઈ ઉમેદવારો જોડાવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે ભાવનગર જીલ્લાની આઈ.ટી.આઈ સિહોર, જી.ભાવનગર ખાતે તા. ૧૩/૯/૨૦૨૪ ના રોજ સવારે-૧૦:૩૦ કલાક થી એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ યોજના મારફત એપ્રેન્ટીસ તરીકે જોડાવા માંગતા હોય તેઓએ પોતાનું રજીસ્ટ્રેશન એપ્રેન્ટીસ પોર્ટલ લીંક https://www.apprenticeshipindia.gov.in/candidate-registration પર કરવાનું રહેશે. ભરતી મેળાના દિવસે, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો,પાસપોર્ટ સાઈઝનો ફોટો અને આધારકાર્ડની નકલ સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે.

Related Posts