fbpx
રાષ્ટ્રીય

ભારતીય સરહદે ઘૂસણખોર તેના પ્લાનમાં નિષ્ફળ રર્હ્‌યો, મ્જીહ્લએ ઠાર કર્યો, તેનું સ્થળ પર જ મોત

ફરી એકવાર પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને સરહદ પર તૈનાત બીએસએફ જવાનોએ નિષ્ફળ બનાવ્યો હતો. બીએસએફના પ્રવક્તાએ આ માહિતી આપી હતી. અધિકારીએ જણાવ્યું કે સોમવારે રાત્રે લગભગ ૯.૧૫ વાગ્યે અમૃતસર જિલ્લાના રતન ખુર્દ ગામ વિસ્તારમાં એક ઘૂસણખોરી સરહદ પાર કરતા જાેવા મળ્યો હતો અને તે સરહદની વાડની નજીક પહોંચી ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે સૈનિકો દ્વારા ચેતવણી આપ્યા બાદ પણ ઘુસણખોર આગળ વધતો રહ્યો અને આક્રમક વલણ બતાવી રહ્યો હતો. ફરજ પરના સૈનિકોએ આગળ વધી રહેલા ઘૂસણખોર પર ગોળીબાર કર્યો અને તેનું સ્થળ પર જ મોત નીપજ્યું. બીએસએફના જણાવ્યા અનુસાર ઘૂસણખોર પાસેથી ૨૭૦ રૂપિયાની પાકિસ્તાની ચલણી અને ૧૦ રૂપિયાની ફાટેલી નોટ મળી આવી છે. પોલીસે જણાવ્યું કે મૃતદેહને સ્થાનિક ઘરિંડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

આ પહેલા સેનાએ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરામાં એલઓસી પર ઘૂસણખોરીનું કાવતરું ઘડી રહેલા બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા, ત્યારબાદ સમગ્ર એલઓસી પર સતર્કતા વધારી દેવામાં આવી હતી. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી બે એકે-૪૭ રાઈફલ, નાઈટ વિઝન સાથે એમ-૪ કાર્બાઈન, પિસ્તોલ અને આઠ ગ્રેનેડ મળી આવ્યા છે. પાકિસ્તાન સતત ઘૂસણખોરીની નવી રણનીતિ અપનાવી રહ્યું છે. ઘૂસણખોરી ઉપરાંત પાકિસ્તાન સતત સાયબર હુમલા પણ કરી રહ્યું છે. ગયા વર્ષે, આ હુમલાઓમાં ૩૯ ટકાનો વધારો થયો હતો, જેમાં સરકારી એજન્સીઓ, સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રો સૌથી વધુ પ્રભાવિત થયા હતા. સાયબર હુમલા ભારતની સુરક્ષા માટે ગંભીર ખતરો છે. આ હુમલાઓ દેશની રાષ્ટ્રીય સુરક્ષા સામે ગંભીર પડકાર ઉભો કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી તેજ થઈ ગઈ છે. પ્રથમ તબક્કામાં ૧૮ સપ્ટેમ્બરે ડોડા, કિશ્તવાડ, રામબનની આઠ બેઠકો અને દક્ષિણ કાશ્મીરની અનંતનાગ, પુલવામા, કુલગામ અને શોપિયાંની ૧૬ બેઠકો પર મતદાન છે.

Follow Me:

Related Posts