fbpx
ભાવનગર

આગામી તારીખ ૨૭ સપ્ટેમ્બરના રોજ ભાવનગર ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાશે

 ભાવનગર જિલ્લામાં આગામી તા.૨૭/૦૯/૨૦૨૪ ના રોજ શ્રી અટલ બિહારી બાજપાઈ ઓપન એર થીયેટર હોલ, મોતીબાગ ભાવનગર ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે. આ મેળામાં ભાવનગર જિલ્લાના મેળા પહેલાંના ૩૬,૩૧૮ અને મેળા દરમ્યાનના ૨,૭૯૨ લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભાવનગર જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળામાં કુલ- ૨,૭૯૨ લાભાર્થીઓને કુલ- ૧૪૯.૨૧ કરોડ સહાય ભાવનગર ગ્રામ્ય, નગરપાલિકા વિસ્તાર અને ભાવનગર મ્યુનસિપલ કોર્પોરેશન દ્વારા જુદી જુદી યોજના જેવી કે, અન્નપૂર્ણા યોજના, આયુષ્યમાન કાર્ડ, જનની સુરક્ષા યોજના, માનવ કલ્યાણ યોજના, ખાસ અંગભૂત યોજના, ઝુંપડા વિજળીકરણ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત સરકારશ્રીની કુલ-૩૭ વર્તમાન યોજના દ્વારા રૂ. ૧૪૯.૨૧ કરોડ સહાય જેવી કે, ભૌતિક સ્વરૂપમાં, લોન સ્વરૂપમાં, ક્રેડીટ સ્વરૂપમાં, હુકમો સ્વરૂપમાં, વસ્તુના સ્વરૂપમાં આપવામાં આવનાર છે.

આ ગરીબ કલ્યાણ મેળાના આયોજન માટે જિલ્લાના જુદી જુદી યોજનાના અમલીકરણ અધિકારીશ્રીઓને તા.૧૦/૦૯/૨૦૨૪ ના રોજ આયોજનની અમલવારી માટે હુકમો પણ કરી દેવામાં આવ્યા છે. તેમજ ગ્રામ્ય કક્ષાએથી જુદા જુદા વિભાગના લાભાર્થીઓને કાર્યક્રમના સ્થળે લાભોનું વિતરણ કરવા લાભાર્થીઓને લાવવા માટે કુલ-૨૦ એસ.ટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે તેમ ભાવનગર જિલ્લા પંચાયતની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/