તાજેતરમાં અમરેલી જિલ્લાના પ્રવાસે દેશના વડાપ્રધાન આવ્યા ત્યારે તેમણે જાહેર મંચ ઉપરથી જાફરાબાદ ના બાબરકોટના બાજરાના વખાણ કર્યા અને ઘણા નેતા અવારનવાર જાફરાબાદ ના બાબરકોટના બાજરાના વખાણ કરતા હોય છે તે સારી બાબત છે પરંતુ જાફરાબાદ ના બાબરકોટ ના ખેડૂતોની આજે શું દશા એમની ઉપાધિ ક્યારેય કોઈ નેતાએ કરી નથી આજે જાફરાબાદ ના બાબરકોટ ની આજુબાજુ કંપનીઓએ મોટી મોટી પથ્થરની ખાણો કરી હજારો એકર જમીન ખોદી નાખી છે અત્યારે બાબરકોટ ની અંદર બાજરો ઉગે એવી સ્થિતિ નથી કંપનીઓ ખેડૂતોને પોતાના ખેતરમાં પણ પ્રવેશવા દેતી અને અમુક ખેડૂતોને કંપનીઓ ધાક ધમકી આપી અને જમીન પચાવી પાડી છે
અને અમુક ખેડૂતો ઉપર જમીન ખાલી કરવાના દબાણ કરી રહ્યા છે અને લેન્ડ ગ્રેબીગ ના કેસ ની ધમકી પણ આપી રહ્યા છે બાબરકોટ ના ખેડૂતોના સંતાનો બેરોજગાર થઈ રહ્યા છે ત્યારે આ બાબતે અવારનવાર ખેડૂતોએ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલી ત્યારે વડાપ્રધાન બાબરકોટના બાજરાના વખાણ કરતા હોય તો આ ખેડૂતોની વેદના શું છે અને બાબરકોટના ખેડૂતોને ખાવા માટે બાજરો કંપની વાળા ઉગાડવા દે છે કે નહીં એ પણ ક્યારેક દિલ્હીમાં બેઠા બેઠા ખેડૂતો ના રૂદને યાદ કરે એવી મારે વડાપ્રધાન શ્રી ને વિનંતી સાથે રજૂઆત છે આગામી દિવસોમાં વડાપ્રધાન અથવા તેમનું પ્રતિનિધિ મંડળ બાબરકોટ ગામની મુલાકાત લઇ ત્યાંના ખેડૂતોને બાજરો વાવવા માટે જમીન કંપનીએ બાબરકોટ માં જમીન રહેવા દીધી છે કે નહીં તેની સ્થળ તપાસ કરી અને બાબરકોટના ખેડૂતોને ન્યાય આપે અને ખોટી રીતે બાબરકોટ ના બાજરા નું નામ લઈ ને રાજકીય ફાયદો લેવાનું બંધ કરવુ જોઈએ અને બાબરકોટ ના ખેડૂતોને બેરોજગાર યુવાનો ને મદદ કરે તેમ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખશ્રી ટીકુભાઈ વરુ એક નિવેદનમાં માં જણાવાયું છે*
Recent Comments