અમદાવાદના ફલાવર શોમાં દર વર્ષે કશુ નવુ જાેવા મળતુ હોય ત્યારે આ વર્ષે પણ કોર્પોરેશન દ્વારા સરપ્રાઈઝ અપાઈ છે. ફલાવર શોની ટિકિટોના દરમાં વધારો કરવામાં આવ્યો છે. વર્લ્ડ હેરીટેજ સીટી અમદાવાદમાં દર વર્ષ ફલાવર શોનુ આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે પણ રીવર ફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજન અમદાવાદ છસ્ઝ્ર દ્વારા કરવામાં આવે છે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે દર વર્ષે યોજાતા ફ્લાવર શૉ ને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ટૂંક જ સમયમાં ફ્લાવર શૉ શરૂ થશે. મહત્વનું છે કે, આ વખતે ફ્લાવર શૉમાંની ટીકિટ દરોમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદના ફ્લાવર શોમાં જવું હવે લોકોને મોધું પડશે. છસ્ઝ્ર દ્વારા ફલાવર શોની ટિકિટ દરમાં વધારો કરવામાં આવ્યો છે. ફ્લાવર શોમાં જવા માટે હવે એન્ટ્રી ફી સોમવાર થી શુક્રવાર સુધીના ૭૦ રૂપિયા હશે, જયારે શનિવાર અને રવિવારે એન્ટ્રી ફી ૧૦૦ રૂપિયા રાખવામાં આવી છે. જે ગયા વર્ષે ૫૦ રૂપિયા એન્ટ્રી ફી હતી, તેમાં રૂ. ૨૦ વધારો ઝીંકાયો છે. અમદાવાદના ફ્લાવર શોમાં સવારે ૮ થી ૯ અને રાત્રે ૧૦ થી ૧૧માં સ્પેશિયલ વિઝિટરો માટે ખુલ્લુ રહેશે.
Recent Comments