ગુજરાતના 33 જિલ્લા માંથી પસંદ થયેલા નિષ્ઠાવાન પ્રાથમિક શિક્ષકોને બુધવારે મોરારીબાપુ ચિત્રકૂટ એવોર્ડ થી નવાજશે
ગુજરાતના 34 શિક્ષકોને ચાલુ વર્ષે પૂજ્ય મોરારીબાપુ ની પ્રેરણાથી અપાઈ રહેલો ચિત્રકૂટ એવોર્ડ 15 મી જાન્યુઆરીએ ભાવનગર જિલ્લાના તલગાજરડા ખાતે કેન્દ્રવર્તી શાળામાં અર્પણ કરવામાં આવશે. ગુજરાતના દરેક જિલ્લાના એક શિક્ષક અને એક મહાનગરપાલિકાના શિક્ષકની પસંદગી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પસંદ થયેલા પ્રાથમિક શાળામાં કામ કરતા 34 શિક્ષક ભાઈ બહેનોના નામની ઘોષણા કરવામાં આવી છે.
પ્રમુખશ્રી દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જૈમીન કુમાર પટેલ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં 34 શિક્ષકોને પસંદ કરવામાં આવ્યા છે. આ દરેક શિક્ષકોને ચિત્રકૂટ ધામ તલગાજરડા તરફથી રૂપિયા 25,000 નો રોકડ પુરસ્કાર, પ્રશસ્તિપત્ર અને સૂત્રમાલા અને શાલ સાથે અર્પણ કરવામાં આવશે.
આગામી તા. 15 ને બુધવારના રોજ સવારે 9.30 કલાકે તલગાજરડા ખાતે યોજાનાર કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં પૂ. સીતારામબાપુ અધેવાડા આશ્રમ દ્વારા પણ શિક્ષકોને આશીર્વાદ સાથે સન્માનિત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યના બે લાખ જેટલા પ્રા.શિક્ષકોમાં અતિ પ્રતિષ્ઠિત અને ગૌરવવંતો ગણાતો શ્રેષ્ઠ શિક્ષકનો ચિત્રકૂટ એવોર્ડ પૂ.મોરારીબાપુ દ્વારા છેલ્લા 25 વર્ષથી એનાયત થાય છે.
અત્રે નોંધનીય છે કે આ પારિતોષિકની શરૂઆત સને 2000 ની સાલથી કરવામાં આવી છે.જેની પસંદગીનું કાર્ય ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ દ્વારા થાય છે. આ કાર્યક્રમમાં મહુવા તાલુકાના નિવૃત્ત થતા પ્રાથમિક શિક્ષકોને પણ વિદાય સન્માન આપવામાં આવશે.
–ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદ થયેલ શિક્ષકો –
1,મનહરભાઈ પટેલ વાંકન પ્રાથમિક શાળા જી. ડાંગ
2,લતાબેન પટેલ રાનીપરજ પ્રાથમિક શાળા જી. વલસાડ
3,દિનેશભાઈ ગાયકવાડ ગણધા જી. નવસારી
4,જયંતીભાઈ પટેલ વાંસવા જી. સુરત 5,સંજયભાઈ ચૌધરી ઊંચા માળા જી. તાપી 6,કિશોરભાઈ પટેલ રાજપારડી જી. ભરૂચ 7,શાંતિલાલ ભોઈ ગોરા જી. નર્મદા 8,કામાંગીનીબેન પટેલ અલવા જી. વડોદરા 9,અરજણભાઈ ડીંડોર નસવાડી વાઘજ જી. છોટાઉદેપુર
10,નરેન્દ્રગીરી ગોસ્વામી સિંહોજ જી. ખેડા 11,રીનાબેન શાહ મોટી સંખ્યા જી. આણંદ
12, જીગ્નેશભાઈ પટેલ ચેખલા જી. ગાંધીનગર
13, રઘુભાઈ ભરવાડ ટીંબા ગામ જી. પંચમહાલ
14,ઉમેશભાઈ પુવાર કણજરા જી. મહીસાગર
15,મુકેશ નીનામા લીમડી જી.દાહોદ 16,રમેશકુમાર સાધુ વેટલા જી. સાબરકાંઠા 17,પ્રકાશભાઈ તરલ જી. અરવલ્લી 18,નયનાબેન સુથાર ભાન્ડુપરા જી. મહેસાણા 19,ગોવિંદભાઈ દેસાઈ વાગડોદ જી.પાટણ 20,અમરાભાઇ પટેલ ગગાણા જી. બનાસકાંઠા
21કૃપાબેન નાકર ભુજ જી. કચ્છ 22,કૌશિકભાઇ પ્રજાપતિ ધાંગધ્રા જી. સુરેન્દ્રનગર
23,અનિલભાઈ વૈષ્ણવની માખાવડ જી. રાજકોટ
24,અનિલકુમાર ભટાણીયા મોરબી
25, હિંમતભાઈ રાઠોડ ધ્રુપકા જી.ભાવનગર 26,વિનોદભાઈ શિયાળ ગઢડા જી. બોટાદ 27,લાખાભાઈ છગનભાઈ કાતરીયા કોટડીપરા જી. અમરેલી
28, બહાદુરસિંહ વનરાજસિંહ વાળા અલિન્દ્રા જીલ્લો જુનાગઢ
29,મણીબેન કરંગીયા દેદા જી. ગીર સોમનાથ
30, દર્શનાબેન માવદીયા છાયા જી. પોરબંદર
31, દેવાંગીબેન બારૈયા હરિયાણા જી. જામનગર
32,ડો.રણમલ પરમાર જુવાનપુર જી. દેવભૂમિ દ્વારકા
33,અરવિંદભાઈ પટેલ ગાંગરેટીયા વડોદરા
34,પ્રહલાદભાઈ ગજ્જર રાજવાળા જી. અમદાવાદ ને આ એવોર્ડ અર્પણ કરીને પૂ.મોરારીબાપુ દ્વારા વંદના કરવામાં આવશે.
Recent Comments