લોહાણા સમાજના ગૌરવ સમા વિરદાદા જશરાજજીનો શોર્યદીન તા.રર જાન્યુઆરી બુધવાર ના રોજ હોય જેને સ્મૃતિ ચિન્હ તરીકે ઉજવવા જલ્યાણ ગ્રુપ દ્રારા જ્ઞાતિ સમુહ ભોજન સહીત પુજા વિધી નું આયોજન કરવામાં આવેલ છે
લોહાણા બોર્ડીંગના વિશાળ પટાંગણમાં વિરદાદા જશરાજજી નગરનું નિમાર્ણ થશેરધુવંશી પરિવાર આ નાત જમણમાં એક સાથે એકજ સ્થળે અકજ સમયે તમામ વર્ગ સ્તરના અબાલ વૃધ્ધ ગરીબ તવંગર રઘુવંશીઓ એક સાથે હરીહર કરશે તથા જય જલારામ જય વિરદાદા જશરાજ ના ગંગનભેદી સામુહીક ઉદબોધ સાથે જેના અન્ન ભેગા તેના મનભેગા આ સુત્ર દીલથી સાર્થક કરશે
જલ્યાણ ગુપ ના ચેરમેન લોહાણા મહાજન પ્રમુખ દીપક કકકડે જણાવેલ હતું કે ૨૦૦૭ થી છેલ્લા ૧૮ વર્ષ થી જલ્યાણ ગ્રુપ દ્વારા ભવ્ય રીતે પુણ્યતિથી નો કાર્યફમ યોજાય છે જેમાં વેરાવળ ભાલકા ભીડીયા સોમનાથ તેમજ તાલુકાના આજુ બાજુના લોહાણા જ્ઞાતિ પરીવારો જ્ઞાતિ ગંગાના દર્શન માટે ઉમટી પડે છે મોટી ઉમર (સીનીયર સીટીઝન) ભાઈઓ બહેનો માટે અઢીયા હોલ ના ગ્રાઉન્ડ માં ટેબલ ખુરશીનો વ્યવસ્થા રાખવામાં આવે છે જેને બહોળો પ્રતિસાદ મળી રહેલ છે.
તા.રર ના બુધવાર સાજે ૭ વાગ્યે દાદાને નિવેધ જુવારી ગુલાબી સાફો ચડાવી પુજન કરવામાં આવશે ત્યાર બાદ સાજે ૭ વાગ્યે સમુહ ભોજન પ્રસાદીનો પ્રાંરભ થશે વડીલોના માર્ગદર્શન હેઠળ આ મેગા આયોજનને શ્રતિશુન્ય બનાવી રહયા છે અને આ કૃપાથી રઘુવંશી સમાજમાં ના આંગણે એકતાનો સુરજ ઉગશે સમગ્ર કાર્યફમ સફળ બનાવવા માટે જલ્યાણ ગુપ ના હોદેદારો કાર્યકરો તૈયારી પુર્ણ કરેલ છે.
ભાલકા કૃષ્ણ ભગવાન મંદિર માં ભવ્ય પતંગ મહોત્સવ યોજાયો હજારો સ્થાનીકો,યાત્રીકો ને પતંગ,દોરો પ્રસાદી અપાય
ભાલકા કૃષ્ણ ભગવાન ના મંદિર પરીષર માં મકરસંક્રાતિ ના દિવસે ભવ્ય પતંગ મહોત્સવ યોજાયેલ હતો તેમાં ભાલકા, તાલાલા નાકા,ભીડીયા, સોમનાથ,વેરાવળ તમજ આજુ બાજુ વિસ્તારના પરીવારો તેમજ મોટી સંખ્યા માં દેશ વિદેશ થી આવેલા યાત્રીકો ઉમટી પડેલ હતા રંગબેરંગી પતંગો થી આકાશ ભરાઈ ગયેલ હતું
ભાલકા મંદિરેના પરીષર માં શ્રી સોમનાથ ટ્રસ્ટ ના સહકાર થી ગીર સોમનાથ મીડીયા સેન્ટર ડી.કે.ગ્રુપ દીપક કકકડ તેમજ આગેવાનો દ્વારા ભવ્ય પતંગ મહોત્સવનું આયોજન થયેલ હતું આ વર્ષે દેશ વિદેશ થી આવેલા હજારો ની સંખ્યામાં યાત્રીકોએ પણ આટલો મોટો પતંગ મહોત્સવ ભાલકા મંદિરે યોજાયેલ હતો તેમાં હજારો સ્થાનીકો યાત્રીકો જોડાયેલ હતા
પતંગ મહોત્સવ અનેક ના સહકાર થી યોજાયેલ હતો જેમાં અનેક વિસ્તારના મોટી સંખ્યામાં પરીવારો દેશ વિદેશી થી ઉમટી પડેલા યાત્રીકો થી પરીષર ભરાઈ ગયેલ હતી રંગેબેરંગી પતંગો થી આકાશ અનેક રંગોમાં દેખાતું હતું આખું ગ્રાઉન્ડ માનવ મહેરામણ થી ભરાયેલ હતું અને જાણેકે પરીષર કોઈ મોટા શહેર માં આવેલી હોય તે રીતે કાયપો છે એક ગઈ સહીત ની અવાજો આવતા હતા સાથે સાથે ભુગળાઓ વાગતા હતા.
વિશ્વ નું આ પ્રસીધ્ધ યાત્રાધામ ભાલકા મંદિર માં આટલો મોટો પતંગ ઉત્સવ યોજાય છે જેમાં આટલી મોટી સંખ્યામાં સ્થાનીક તથા યાત્રીકો ઉમટી પડેલ છે તે માટી ધટના છે આ પતંગ મહોત્સવ ને બિરદાવેલ હતો
દેશ વિદેશ થી આવેલા યાત્રીકોએ પ્રતિભાવો આપેલ હતા કે અમા દર વર્ષે અમારા શહેર માં પતંગ ઉડાવવાનો આનંદ લઈએ છીએ પણ ભાલકા માં આટલું મોટું આયોજન થયેલ હોય તેથી કષ્ણ ભગવાન ના સાંનીધ્યમાં, પતંગ ઉડાવવાનો આનંદ મેળવેલ છે કયારેય ભુલાશે નહી.
આ પતંગ મહોત્સવ માં હજારો લોકો ઉમટી પડેલ હતા તેને પતંગ,દોરા,ખીચડો,ચીકી, ચોકલેટ, ચીકુ, બોર, જામફળ,શેરડી,ભુગળા સહીત અનેક વસ્તુઓ પ્રસાદીમાં અપાયેલ હતી.
આ પતંગ મહોત્સવ માં સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અધિકારીઓ અજય દુબે,સુરૂભા જાડેજા,જીતુપુરી ગાસ્વામી,વિકૂમ ચાવડા, ઉદ્યોગપતિ ધનસુખ પીઠડ સહીત ગીર સોમનાથ જીલ્લા ના અનેક આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.
પતંગ ઉત્સવ ભવ્ય રીતે ઉજવાય તે માટે પુર્વ મંત્રી જશાભાઈ બારડ, ,ગીર સોમનાથ જીલ્લા પંચાયત વિરોધપક્ષ ના નેતા અભય હીરાભાઈ જોટવા,દીલીપભાઈ બારડ ધનસુખ ભાઈ પીઠળ,અશોકભાઈ પરમાર,મીત રોહનભાઈ વૈદ્ય મક“નટાઇલ બેંક દ્વારા સહકાર આપેલ હતો.
આ કાર્યકમ ને સફળ બનાવવા માટે ગીરસોમનાથ મીડીયા સેન્ટર ડી.કે. ગ્રુપ ના દીપકભાઈ કકકડ,કેટરીગ એસો.ના પ્રમુખ મિલનજોષી, મોટા કોળી વાડા ના આગેવાન રામભાઈ સોલંકી ,ગુજરાત વાડોકાય ના પ્રમુખ પ્રવિણ ચૌહાણ,લોહાણા સમાજ અગ્રણી વિપુલ રાજા,એ જહેમત ઉઠાવી હતી.
વેરાવળ સોમનાથ માં વિર માંધાતા પ્રાગટય મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો સાંસદ, ધારાસભ્યો સહીત હજારો યુવાનો શોભયાત્રા માં જોડાયા
વેરાવળ સોમનાથ સુત્રાપાડા તાલુકામાં તા.૧૪ ના રોજ વિર માંધા તા પ્રાગટય મહોત્સવ ઉજવાો હતો જેમાં હજારો કોળી સમાજ ના યુવાનો,વડીલો જોડયા હતા શોભાયાત્રા નિકળેલ જે રાજમાર્ગો ઉપર ફરી સભા ના રૂપ માં ફેરવાય ગયેલ હતી.
વિર માંધાતા સંગઠન ગીર સોમનાથ દ્વારા તા. ૧૪ ના રોજ માંધાતા પ્રાગટય ઉત્સવનું આયોજન થયેલ હતું જેમાં તા. ૧૪/૧ અનેક કાર્યક્રમોનું આયોજન કરાયેલ છે જેમાં સુત્રાપાડા માં સવારે ૮ વાગ્યે શોભાયાત્રા નિકળેલ તે સુત્રાપાડા,બાદલપરા, કાજલી, સોમનાથ બાયપાસ, ભાલપરા,વેરાવળ માં સમાપન થયેલ હતું આ રેલી મા સાંસદ,ધારાસભ્યો સહીત આગેવાનો ની આગેવાની હેઠળ હજારો કોળી સમાજના યુવાનો મોટરસાઈકલ રેલી માં જોડાયેલ હતા આ વર્ષે જુનાગઢ, પોરબંદર જીલ્લામાંથી પણ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહેલ હતા ત્યાં સમગ્ર ગુજરાત ના શહેરોમાંથી આગેવાનો તેમજ કોળી સમાજના યુવાનો ઉમટી પડલ તેમજ ગુજરાત ના સાંસદ, ધારાસભ્ય કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ અને જંગી જાહેર સભા ને સંબોધશે કરેલ હતું
વિર માંધાતા પ્રાગટય દિવસ ની શોભાયાત્રા નું ઠેર ઠેર સ્વાગત કરાયેલ સમગ્ર વિસ્તારમાં બેનરો લગાડવામાં આવેલ હતા અને ઠંડાપીણા પાણી, નાસ્તા ની પણ વ્યવસ્થા કરાયેલ હતી.
Recent Comments