ગુજરાત

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન પરિવારના સભ્યોને મતદાન કરવાના શપથ લેવડાવ્યા

૧૫મા રાષ્ટ્રીય મતદાતા દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન પરિવારના સૌ સભ્યોને મતદાન કરવાના, મતાધિકારનો ઉપયોગ કરવાના શપથ લેવડાવ્યા હતા. રાજભવન પરિસરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના અધિકારીઓ-કર્મચારીઓને લોકતંત્રમાં પૂર્ણ આસ્થાપૂર્વક મતદાન કરવાના શપથ લેવડાવ્યા હતા. સૌએ દેશની લોકતાંત્રિક પરંપરા જાળવીને, સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીની ગરિમાને અક્ષુણ્ણ-અખંડ રાખીને, ર્નિભય થઈને, ધર્મ – વર્ગ – જાતિ – સમુદાય – ભાષા કે અન્ય કોઈ પ્રલોભનથી પ્રભાવિત થયા વિના, બધી જ ચૂંટણીઓમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના શપથ લીધા હતા.

Related Posts