લખપતિ દીદી, નમો ડ્રોન દીદી બહેનોનું સન્માન કરાયું: સ્વસહાય જૂથોની બહેનોને રૂ.૮૮ લાખના ચેક એનાયત

ભાવનગરના જવાહર મેદાન ખાતે “નમો સખી સંગમ મેળા”નો કેન્દ્રીય મંત્રી શ્રીમતિ નીમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને પ્રારંભપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી અને કેન્દ્રીય મંત્રી શ્રીમતિ નીમુબેન બાંભણીયાના માર્ગદર્શન હેઠળ મહિલા સશક્તીકરણની દિશામાં આગવી પહેલ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી મહિલા સશક્તીકરણની દિશામાં આગવી પહેલ કરીને ભાવનગરના જવાહર મેદાન ખાતે તા. ૯ થી ૧૨ માર્ચ સુધી આયોજિત “નમો સખી સંગમ મેળા” નો પ્રારંભ ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો.
ભાવનગરના ખાતે ચાર દિવસીય નમો સખી સંગમ મેળાનો શુભારંભ કરાવતાં કેન્દ્રિય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે,દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતની નારી દરેક ક્ષેત્રમાં આગળ વધીને આપણું ગૌરવ વધારી રહી છે. સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈને સ્વરોજગાર મેળવવાની સાથે આર્ત્મનિભર બની રહી છે.મહિલા સશક્તીકરણની દિશામાં “નમો સખી સંગમ મેળો એક મજબૂત કદમ છે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે,મહિલાઓને પારંપારિક ભૂમિકાઓથી આગળ વધવાના અવસર મળવા જાેઈએ. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિચારમાંથી પ્રેરણા લઈને મહિલા દિવસ ઉપર માતૃશક્તિના સન્માન માટે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નમો સખી સંગમ મેળો એ નારીશક્તિની કુશળતા, સર્જકતા અને પરિશ્રમને વંદન કરવાનો અવસર છે. આપણી માતૃશક્તિની આકાંક્ષાઓને સક્ષમ (મજબૂત) પ્લેટફોર્મ આપવાનો પણ અવસર છે. આપણાં માટે ગર્વની વાત છે કે, અત્યાર સુધી લગભગ સવા કરોડ બહેનો લખપતિ દીદી બની ચૂકી છે. અને ત્રીજી ટર્મમાં હજુ ૩ કરોડ લખપતિ દીદી બનાવવાનો પ્રધાનમંત્રીજીનો ટાર્ગેટ છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ સંગમ મેળો તા.૯થી ૧૨ માર્ચ સુધી ચાલશે જેમાં ૧૦૦થી વધુ સ્ટોલ્સ વિનામૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવ્યાં છે. આ નમો સખી સંગમ મેળા થકી ભાવનગર અને બોટાદની બહેનોને યોગ્ય પ્લેટફોર્મ પણ મળી રહેશે. આ મેળામાં મહિલા સશક્તીકરણને આવરી લેતાં વિવિધ વિષયો પર ચર્ચા કરાશે. મોટીવેશન સ્પીકરો દ્વારા મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવશે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, આજે સમાજમાં લખપતિ દીદી, નમો ડ્રોન દીદી, બૅંક સખી જેવી આર્ત્મનિભર નારીનું સન્માન કરવામાં આવ્યું છે.આ દરેક મહિલાઓને હું ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. આ અવસરે મંત્રીશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પિંક રિક્ષા ચલાવતી બહેનોની પણ સરાહના કરી હતી.મહિલામાં ઘણી આવડત હોય છે, પરંતુ તેમને જાે યોગ્ય પ્લેટફોર્મ મળે તો તે સફળતા પ્રાપ્ત કરી શકે છે.
ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના સ્વ-સહાય જૂથની મહિલાઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી મળી રહે, મહિલાઓ દ્વારા ઉત્પાદિત પ્રોડકટનો પ્રચાર પ્રસાર થાય તે હેતુથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ભાગરૂપે ભાવનગર ખાતે સ્વ સહાય જૂથની મહિલાઓ માટે “નમો સખી સંગમ મેળો” નું આયોજન કરવામાં આવ્યું છે.
આ તકે સ્વ સહાય જૂથના બહેનોની સાફલ્ય ગાથા (ડોક્યુમેન્ટરી), લખપતિ દીદી, નમો ડ્રોન દીદી બહેનોનું સન્માન, પ્રતિકરૂપે ૬ સ્વ સહાય જૂથોની બહેનોને રૂ.૮૮ લાખના ચેક એનાયત કરવાની સાથે વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ, ભાવનગર અને બોટાદ જિલ્લાની ૪૦ સખીઓનું સિલ્ડ અને કીટ, સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી આવનાર ૭૦ બહેનોની પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્વસહાય જૂથની મહિલાઓ દ્વારા સાફલ્યગાથા રજૂ કરવામાં આવી હતી.
આ તકે ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણી, બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી જેઠીબેન પરમાર, મેયર શ્રી ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજુભાઇ રાબડીયા, ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણ, ધારાસભ્યશ્રી મહંત શંભુનાથજી ટુંડીયા, જિલ્લા કલેકટર શ્રી આર. કે. મહેતા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી. એમ. સોલંકી, પોલીસ અધીક્ષક શ્રી હર્ષદ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જયશ્રીબેન જરૂ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments