સમર્પણ ગૌસેવા સમિતિ ટ્રસ્ટ, જેસર રોડ, સાવરકુંડલા દ્વારા દાતાઓના સહયોગથી ગાયો માટે પાણીની અવેડી તથા પક્ષીઓ માટે પાણી પીવાના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. આ માનવતાભર્યું સેવા કાર્ય સાવરકુંડલાના નાગરિકો દ્વારા ઉષ્માભર્યા સહયોગ સાથે સંભવ બન્યું. આ પવિત્ર કાર્ય માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન, સાવરકુંડલા (હાલ મુંબઈ) દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે થઈ, જેમાં મસાભગત (નાના ઝીંઝુડા), રામ ભગત (ધના બાપુ આશ્રમ) તેમજ સંત મહંતો, રાજકીય આગેવાનો અને જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.સમર્પણ ગૌસેવા સમિતિ અને દાતાઓ આ ભવ્ય સેવા યજ્ઞ માં જોડાયેલા તમામ મહેમાનો તથા સહયોગીઓ પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. આ સેવા કાર્ય ભવિષ્યમાં પણ સતત આગળ વધે તેવા શુભ આશીર્વાદ સાથે, આ કાર્ય સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ સાબિત થશે. સમર્પણ ગૌ સેવા સમિતિ દ્વારા દાતા તથા સહયોગીઓ અને ઉપસ્થિત સર્વે નો આભાર માનવામાં આવેલ. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.
સમર્પણ ગૌસેવા સમિતિ ટ્રસ્ટ, સાવરકુંડલા દ્વારા ગાયો માટે પાણીની અવેડી તથા પક્ષીઓ માટે પાણી પીવાના કુંડાનું વિતરણ

Recent Comments