અમરેલી

સાવરકુંડલામાં ઓમકાર કેળવણી ટ્રસ્ટ દ્વારા 1000 પક્ષીઓ માટે માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ

ઉનાળાની આકરી ગરમીમાં પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી એ એક મહત્વપૂર્ણ સેવા કાર્ય છે. આ ઉમદા કાર્ય ને ધ્યાનમાં રાખીને, સાવરકુંડલાના ઓમકાર કેળવણી ટ્રસ્ટ સંચાલિત મૂળરાજ ધરમશી નેણશી વિદ્યાલય દ્વારા છેલ્લા ચાર વર્ષથી પક્ષીઓ માટે માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે, સંસ્થા દ્વારા 1000 થી વધુ માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કુંડા પક્ષીઓને પીવા માટે પાણી પૂરું પાડશે અને તેમને ગરમીથી રાહત આપશે. સંસ્થાના આ સેવા કાર્ય ને શહેરના નાગરિકો તરફથી ભારે સમર્થન મળ્યું છે. લોકોએ આ પહેલની પ્રશંસા કરી હતી  ઓમકાર કેળવણી ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી બાળકોને વિનામૂલ્યે સ્કૂલ બેગ, બુટ, મોજા, સ્ટેશનરી, પુસ્તકો, ગરમ કપડાં અને અન્ય સેવા નિયમિત રીતે કરવામાં આવે છે. જેથી આવનારા વર્ષોમાં શિક્ષિત સમાજ નો પાયાનુ ઘડતર કરવામાં આવે છે.
આ કાર્યક્રમના મુખ્ય આયોજકો દિનેશભાઈ દાવડા અને પ્રો.કે.કે. જાની છે. તેમણે આ કાર્યને સફળ બનાવવા માટે સંપૂર્ણ આર્થિક સહયોગ આપ્યો હતો. પક્ષીઓ માટે માટીના કુંડા મેળવવા માંગતા હો, તો 9979741061 પર સંપર્ક કરી શકો છો. આ કાર્યક્રમ એ વાતનો પુરાવો છે કે સાવરકુંડલાના લોકો પક્ષીઓ અને પર્યાવરણ પ્રત્યે કેટલા સંવેદનશીલ છે. આ સેવા કાર્ય દ્વારા, સંસ્થાએ પક્ષીઓને મદદ કરવા અને લોકોને પ્રેરણા આપવાનું એક ઉમદા કાર્ય કર્યું છે. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.

Related Posts