દામનગર ના શાખપુર ખેડૂતોને ગયા વર્ષનું પાક ધિરાણનું રાજ્ય સરકારનું ચાર ટકા વ્યાજ જમા કરવામાં આવ્યું કેન્દ્ર સરકાર ત્રણ ટકા વ્યાજ વહેલી તકે ખેડૂતો ને પરત આપે તેવી રજૂઆત અમરેલી જિલ્લા સાંસદ સમક્ષ કરાય
ખેડૂતોને ઝીરો ટકા પાક ધિરાણ આપવાની જાહેરાત રાજ્ય સરકારે કરી હતી જેમાં ગયા વર્ષમાં બેંક અને સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતો પાસેથી ૭ ટકા વ્યાજ વસૂલ કરવામાં આવ્યું હતું જેમાં ૪ ટકા વ્યાજ ખેડૂતોને પરત એકાઉન્ટમાં જમા આપેલ છે જ્યારે કેન્દ્ર સરકારનું ત્રણ ટકા વ્યાજ હજુ ખેડૂતોને મળેલ નથી આગામી ચાલુ વર્ષની ખેતીની સિઝન ની શરૂઆત પણ થઈ ગયેલ છે હાલ ખેડૂતોને પૈસાની જરૂરિયાત હોય જેથી વહેલી તકે કેન્દ્ર સરકાર ત્રણ ટકા વ્યાજની રકમ પરત બેંક તેમજ સેવા સહકારી મંડળીના ખાતામાં જમા કરાવે તેવી રજૂઆત અમરેલી જિલ્લા સાંસદ ભરતભાઈ સુતરીયા સમક્ષ શાખપુર સરપંચ શ્રી જસુભાઈ ખુમાણ દ્વારા કરવામાં આવી છે
જો રાજ્ય સરકાર ઝીરો ટકા પાક ધિરાણની જાહેરાત કરે છે તો વ્યાજની રકમ ખેડૂતો પાસેથી ન લેવાની હોય અને ઓટોમેન્યુઅલ વર્ષે નવા જૂનું થવું જોઈએ
Recent Comments