અમરેલી

જાફરાબાદ તાલુકાના ૫ મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલકની જગ્યા માટે તા.૧૬ મે સુધીમાં અરજી કરવી

જાફરાબાદ તાલુકાના એભલવડ, ધારાબંદર, વઢેરા, સરોવડા પ્રાથમિક શાળા અને જાફરાબાદ કન્યા શાળામાં પી.એમ. પોષણ યોજના એટલે કે, મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર સંચાલકની જગ્યા માટે તા.૧૬-૫-૨૦૨૫ સુધીમાં અરજી કરવી.

મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર સંચાલકની આ જગ્યાઓ માટે ફક્ત સ્થાનિક સ્ત્રી તથા પુરુષ ઉમેદવાર, ઉંમર ઓછામાં ઓછા ૨૦ વર્ષ પૂર્ણ થયા હોય અને વધુમાં વધુ ૪૫ વર્ષ હોય અને  શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછું ધોરણ ૧૦ પાસ કર્યું હોય તેવા લાયક પુરુષ તથા સ્ત્રી ઉમેદવાર અરજી કરી શકશે.

નિયત અરજી પત્રક કચેરીના સમય દરમિયાન જાફરાબાદ તાલુકા મામલતદાર કચેરીની પી.એમ. પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના શાખામાંથી મળી શકશે.

લાયક ઉમેદવારે તા.૧૬- ૫- ૨૦૨૫ સુધીમાં યોગ્ય પ્રમાણપત્રોની ખરી નકલ અને નિયત અરજી પત્રકમાં જરૂરી વિગતો પૂરેપૂરી ભરી જાફરાબાદ મામલતદાર કચેરી મુકામે બપોરે ૩ કલાક પહેલા પહોંચાડવા, તેમ જાફરાબાદ તાલુકા મામલતદારશ્રી એ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts