મંગળવારે મોડી રાત્રે ભારતની સેના દ્વારા પાકિસ્તાનમાં આંતકી ઠેકાણા પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. ભારતે પાકિસ્તાન અને ર્ઁદ્ભના ૯ આતંકી કેમ્પ પર મિસાઇલ સ્ટ્રાઇક કરી હતી. મળતી માહિતી અનુસાર, આ હુમલામાં ૧૦૦થી વધારે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. આ કાર્યવાહી બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્ત્વનો ર્નિણય લીધો છે. જેમાં તેમણે પોતાના ત્રણ દેશની મુલાકાત હાલ મોકૂફ કરી દીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોર્વે, ક્રોએશિયા અને નેધરલેન્ડની યાત્રા હાલ મોકૂફ રાખવામાં આવી છે. આ ત્રણ યુરોપિયન દેશોમાં તેઓ અનેક દ્વિપક્ષીય વાર્તા અને બેઠકોમાં ભાગ લેવાના હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે, રાષ્ટ્રીય સુરક્ષાને લઈને મહત્ત્વના સમયને જાેતા આ ર્નિણય લેવામાં આવ્યો છે.
ઓપરેશન સિન્દૂર દરમિયાન વડા પ્રધાન મોદી સતત આ ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા. આ હુમલામાં ભારતીય થળસેના, નૌસેના અને વાયુસેનાની ત્રણ સેનાઓની સટીક હુમલો કરનારી હથિયાર પ્રણાલીનો ઉપયોગ કરાયો હતો. ભારત દ્વારા તમામ ૯ ઠેકાણા પર સ્ટ્રાઇક સટીક અને સફળ રહી છે.
ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ ‘ઓપરેશન સિંદૂર‘ બાદ વડાપ્રધાન મોદીનો મહત્ત્વનો ર્નિણય: ૩ દેશોની વિદેશ યાત્રા કરી મોકૂફ

Recent Comments