ભાવનગર

ભાવનગરમાં ભગવાન જગન્નાથની યોજાનાર રથયાત્રાની તૈયારીઓને લઇને જિલ્લાકલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

સ્વ. શ્રી ભીખુભાઇ ભટ્ટ પ્રેરિત શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ ભાવનગર આયોજિત
ગુજરાતની બીજા નંબરની મોટી રથયાત્રા ભાવનગરમાં નિકળે છે ત્યારે તેની તૈયારીઓને આખરી ઓપ આપવાં માટે
જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કલેક્ટર કચેરી આયોજન હોલ ખાતે
કરવામાં આવ્યું હતું.

જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તથા રથયાત્રા સમિતિના સભ્યો સાથે યોજાયેલી આ બેઠકમાં
કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, છેલ્લા ૩૯ વર્ષથી પરંપરાગત રીતે આ રથયાત્રા ભાવનગરમાં યોજાય છે અને આ વર્ષે ૪૦
મી રથયાત્રાનું આયોજન તા. ૨૭/૬/૨૫ ને શુક્રવારના રોજ થશે.
આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગોના અધિકારીઓને લેવાનાં
પગલાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
કલેક્ટરશ્રીએ રથયાત્રાના રૂટમાં આવતાં ઝાડવાઓની ડાળીઓ કટીંગ, સતત લાઇટનો પુરવઠો જળવાય,
રસ્તાની સફાઇ થઇ જાય, રસ્તામાં અડચણરૂણ વાયરો દૂર કરવામાં આવે, પાણીની સગવડ સચવાય વગેરે રથયાત્રા
સંલગ્ન કામગીરી વિશે તંત્રનું માર્ગદર્શન કર્યું હતું.
રથયાત્રા સમિતિના શ્રી હરૂભાઇ ગોંડલીયાએ રથયાત્રા તેના પરંપરાગત રૂટ પર નિર્વિધ્ને ચાલે તે માટેના
વિવિધ સૂચનો કર્યાં હતાં. રથયાત્રા તેના નિર્ધારિત રૂટ પર ભાવેણાવાસીઓ માટે ફરશે તે માર્ગ પર જરૂરી સુવિધાઓ
અને સગવડોની માહિતી તેમણે આપી હતી તથા તંત્ર પાસેથી જરૂરી મંજૂરી તથા સહકારની વિગતો રજૂ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી ડો. હર્ષદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, નિવાસી
અધિક કલેકટરશ્રી એન. ડી. ગોવાણી, પ્રાંત અધિકારી શ્રી પ્રતિભા દહિયા તેમજ રથયાત્રા સમિતિના સભ્યો, જિલ્લાના
અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Posts