સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય
યોગ બોર્ડના યોગ સેવક શ્રી શીશપાલજી દ્વારા માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ યોગ
પ્રશિક્ષણના વર્ગો શરૂ છે.
જન જન સુધી યોગનો વ્યાપ વધે એ હેતુથી ભાવનગર જિલ્લામાં અને શહેરમાં 21 મી જૂનના યોગ દિવસની
ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્થળોએ યોગ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં ભાગ લેનાર તંદુરસ્ત અને મેદસ્વિતા મુક્ત બને તેથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના પ્રશિક્ષિત
કોચ અને ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. ભાવનગરમાં ઘોઘા સર્કલ અખાડો, સુભાષનગર, તાપીબાઈ
વિકાસગૃહ, ઘોઘા સર્કલ, ચિત્રા, ગાયત્રી મંદિર ચિત્રા વગેરે સ્થળોએ યોગ પ્રશિક્ષણના વર્ગો ચાલુ છે જેનો લાભ
બહોળી સંખ્યામાં લોકો લઈ રહ્યા છે.
Recent Comments