ગુજરાત

મહેસાણાની દૂધ સાગર ડેરીમાં કૌભાંડ થતો હોવાનો વાઇસ ચેરમેન યોગેશ પટેલે કર્યો મોટો ઘટસ્ફોટ

શુક્રવારે (૨૭મી જૂન) ના રોજ મહેસાણા દૂધ સાગર ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં ચેરમેન અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન યોગેશ પટેલ વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી જે બાદ, ચેરમેન અશોક ચૌધરીએ આવેશમાં આવીને યોગેશ પટેલને લાફો માર્યો હતો તે પછી શનિવારે વાઇસ ચેરમેન યોગેશ પટેલે એક મોટો ઘટસ્ફોટ કર્યો હતો કે દૂધ સાગર ડેરીમાં મોટા પ્રમાણમાં કૌભાંડ થયો છે.
યોગેશ પટેલે ઉગ્ર બની અસભ્ય વર્તન કર્યું હોવાનું વાઈસ ચેરમેને કહ્યું હતું. અમે તેમને સમજાવ્યા, પરંતુ તે જાતે બોર્ડ રૂમમાંથી ચાલ્યા ગયા હતા. લાફો મારવાનો આક્ષેપ પણ પાયા વિહોણો હોવાનું ચેરમેને કહ્યું હતું.
તે વાતાવરણ ડોહળવા જ આવ્યા હતા, એમ ચેરમેને વધુમાં ઉમેર્યું હતું.
મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, શુક્રવારે મહેસાણા દૂધ સાગર ડેરીની બોર્ડ બેઠકમાં હોબાળો થયા બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. આ બેઠકમાં ભ્રષ્ટાચાર મુદ્દે સવાલો કરનાર વાઇસ ચેરમેન યોગેશ પટેલ ઉપર ચેરમેન અશોક ચૌધરી અને દિલીપ ચૌધરીએ હુમલો કર્યો હતો. આ મામલે હવે દૂધ સાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન વચ્ચેનું માહોલ ગરમાયો છે.
ચરાડામાં આવેલ અમૂલના ગોડાઉનમાં વાઇસ ચેરમેન યોગેશ પટેલે પહોંચ્યા હતા જ્યાં મોટા પ્રમાણમાં અમૂલ મિલ્ક પાવડરનો એક્સપાયર થયેલો જથ્થાનો સંગ્રહ કરાયો હતો. વાઇસ ચેરમેન યોગેશ પટેલે કહ્યું કે, ‘અમૂલ મિલ્ક પાવડરનો જૂનો જથ્થો પડ્યો રહે અને નવો જથ્થો મંગાવે છે. જેના કારણે મહેસાણા દૂધસાગર ડેરીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ બધા જ નુકસાનની જવાબદારી ચેરમેન અશોક ચૌધરીની છે.‘ નોંધનીય છે કે, ભાજપના મેન્ડેટથી જ આ બંને ઉમેદવાર ચેરમેન અને વાઇસ ચેરમેન બન્યા છે.
મહત્વનું છે કે, દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલ પર હિસાબને લઈને બેઠકમાં હુમલો થયો હતો. આ સમગ્ર મામલો મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જ્યાં ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલે દૂધ સાગર ડેરીના વર્તમાન ચેરમેન તેમજ ડિરેક્ટર સામે ફરિયાદ દાખલ કરવા માટે અરજી આપી હતી.

Related Posts