મેદસ્વિતા હ્રદયરોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, ઘૂંટણ તથા કમર દર્દ કેન્સર વગેરે ગંભીર બીમારીઓને નોતરે છે, ત્યારે મેદસ્વિતાથી બચવામાં યોગાસનની સાથે પ્રાણાયામ ખૂબ અસરકારક છે.
અમરેલી સ્થિત બી.એ.પી.એસ ગાંધીબાગ ખાતે આગામી તા. ૧૭ સપ્ટેમ્બરથી સવારે ૬ વાગ્યાથી લઈને ૮ વાગ્યા સુધી ‘મેદસ્વિતા મુક્તિ કેમ્પ-વેઇટ લોસ મેરેથોન’નું આયોજન કરવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે, “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત” અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં તા. ૧૭ સપ્ટેમ્બર-૨૦૨૫ થી ૧૬ ઓકટોબર-૨૦૨૫ દરમિયાન મેદસ્વિતા દુર કરવા માટે ૭૫ સ્થળોએ ૧૦૦ લોકો સાથે ૩૦ દિવસીય રીઝલ્ટ ઓરીએન્ટેડ ‘મેદસ્વિતા કેમ્પ’નું આયોજન હાથ ધરવામાં આવશે. આ કેમ્પનો હેતુ લોકોએ યોગ અને આહાર થકી મેદસ્વિતા કઇ રીતે દુર કરવી ? તે વિષયક આસનો, પ્રાણાયામ, ડાયટ વગેરેની જાણકારી આપવામાં આવશે. ઉપરાંત યોગા સેશનનું પણ આયોજન કરવામાં આવશે.
“સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત” અભિયાનમાં અમરેલી જિલ્લાના વધુમાં વધુ નાગરિકો જોડાય તે માટે અમરેલી સ્થિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

















Recent Comments