આજથી 5 વર્ષ પહેલા આજના મંગલ પ્રભાતે સુરતની પ્રખ્યાત શ્રી ઘનશ્યામ લાઈવ કેક શોપની અમરેલીના રાજકમલ ચોકમાં શરૂઆત થઈ હતી પણ તે આજે અમરેલીના નગરજનોના અપાર પ્રેમ, લાગણી અને વિશેષ સહકારથી એક ઘટાદાર વટવૃક્ષ બની ગયું છે. લાગણીઓનો વરસતો અવિરત ધોધ અને નગરજનોના અતૂટ વિશ્વાસથી જ આ શક્ય બન્યું છે.અમરેલીના નગરજનો દ્વારા જે સફળતા મળી છે તેનો સરવાળો અને ગુણાકાર કરીને શ્રી ઘનશ્યામ લાઈવ કેક સોંપે નગરજનોને આપ્યો હતો. છઠ્ઠા વર્ષમાં પ્રવેશે એક દિવસ માટે કેક શોપમાં આવનાર દરેક નગરજનોને ફ્રી માં કેક ખવરાવીને સંચાલક સંજયભાઈ અને બાપુએ દરેકનું મોઢું મીઠું કરાવ્યું હતું. સૌથી મહત્વની વાત કે અમરેલી શહેર તેમજ જિલ્લામાં 1 થી 5 વર્ષની દીકરીઓના જન્મદિવસે શ્રી ઘનશ્યામ લાઈવ કેક શોપ તરફથી તદ્દન ફ્રી માં કેક આપવામાં આવે છે.
સુરતની પ્રખ્યાત શ્રી ઘનશ્યામ લાઈવ કેક શોપની અમરેલીમાં છઠ્ઠા વર્ષમાં જાજરમાન પ્રવેશ


















Recent Comments