ભાવનગર

જ્યોતિ ભટ્ટનાં પુસ્તકો “પ્રેમનું પરબીડિયું” અને “સાથ સંગાથ” નો વિમોચન સમરોહ યોજાશે

શબ્દશ્રી અને વિદ્યાસભા પ્રસ્તુત અને નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત જાણીતાં લેખિકા જ્યોતિ ભટ્ટ લિખિત ‘પરબીડિયું પ્રેમનું’ અને ‘સાથ સંગાથ’ પુસ્તકોનો વિમોચન સમારોહ તા. ૨૮-3-૨૦૨૬, શનિવાર ને સાંજે ૬.૦૦ કલાકે એચ. કે. કૉલેજ, અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો છે. પુસ્તકનું વિમોચન જાણીતા લેખક રમેશ તન્ના કરશે અને અતિથિવિશેષ તરીકે ધીરેન અવાશિયા અને લલિત ખંભાયતા રહેશે. ધનિક ભટ્ટ અને ધરા પટેલની પ્રસ્તુતિ અને જાણીતા અભિનેતા સતીશ ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહેશે. સંચાલન હરદ્વાર ગોસ્વામી કરશે. સાહિત્યરસિકોને પધારવા હાર્દિક નિમંત્રણ છે.

Related Posts