વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતા અભિયાન સૌરાષ્ટ્ર પ્રાંત ભાવનગર વિભાગ દ્વારા ડોક્ટર ભીમ રાવ આંબેડકરજી સમરસતા યાત્રા 10. 4 .2026 થી 14. 4.2026 સુધી આયોજન થયેલું છે જેમાં આજે આ સમરસતા યાત્રા રથ તળાજા પ્રસ્થાન થઈ રહ્યો હતો ત્યારે જયજનની વિદ્યા સંકુલ બપાડાના જય જનની વાત્સલ્ય હોસ્ટેલના બાળકોએ તેમને ફુલ અને કંકુ ચોખા થી તેમનું સ્વાગત કર્યું હતું તેમજ શાળાના સંચાલક શ્રી ભાવેશભાઈ કોરડીયા તેમજ માર્ગદર્શક ધર્મેશભાઈ કોરડીયા પણ આ સ્વાગત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તેમજ આરતી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાળકો દ્વારા જય શ્રી રામ તેમજ ભારત માતાની જય ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યૂ હતું.
તળાજા: સમરસતા યાત્રારથનું જય જનની વિધાલયના વાત્સલ્ય ધામ ખાતે સ્વાગત કરવામાં આવ્યું
















Recent Comments