શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતીષભાઈ વિઠલાણી તથા ભાવનગર વિભાગ (ઝોન-૪)ના પ્રમુખ શ્રી સુમિતભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ લોહાણા સમાજના દરેક વર્ગ અને છેવાડાના પરિવાર સુધી મહાપરિષદની કલ્યાણકારી યોજનાઓના લાભો પહોંચાડવાના હેતુથી તાલુકા વાઈઝ વ્યવસ્થા સુદ્રઢ બનાવવામાં આવી છે.
આ આયોજનના ભાગરૂપે સાવરકુંડલા લોહાણા મહાજન ટ્રસ્ટના પ્રમુખ શ્રી જગદીશભાઈ માધવાણી, ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ શિંગાળા તથા ટ્રસ્ટીગણ સાથે વિશેષ બેઠક યોજીને સાવરકુંડલા તાલુકાના નવનિયુક્ત હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
સાવરકુંડલા તાલુકાના નવનિયુક્ત હોદ્દેદારો:
પ્રમુખ: શ્રી વિજયભાઈ વી. વસાણી
ઉપપ્રમુખ: શ્રી હસુભાઈ બી. સૂચક
મંત્રી: શ્રી સાગરભાઈ ડી. મશરૂ
સહ મંત્રી: શ્રી સાગરભાઈ એમ. કોટક
યોજનાઓનો મહત્તમ લાભ પહોંચાડવા સંકલ્પ
શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતીષભાઈ વિઠલાણીની સૂચના અનુસાર, ભાવનગર ઝોન-૪ પ્રમુખ શ્રી સુમિતભાઈ ઠક્કર દ્વારા સાવરકુંડલા લોહાણા મહાજન ટ્રસ્ટના પૂર્ણ સહયોગથી આ નિમણૂકો કરવામાં આવી છે. આ નવી ટીમ સાવરકુંડલા તાલુકાના લોહાણા સમાજ માટે મેડિકલ સહાય, શૈક્ષણિક સહાય તથા આર્થિક સહાય સહિત મહાપરિષદની તમામ યોજનાઓ સુવ્યવસ્થિત રીતે અને પારદર્શક રીતે પહોંચાડવાની કામગીરી સંભાળશે.
નવનિયુક્ત હોદ્દેદારોને સાવરકુંડલા લોહાણા સમાજના અગ્રણીઓ, ટ્રસ્ટીઓ તથા જ્ઞાતિજનો તરફથી ઉત્તરોત્તર પ્રગતિ અને સમાજસેવાની નવી ઊંચાઈઓ સર કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.


















Recent Comments