અમરેલી

આઇ.ટી.આઈ બાબરા ખાતે વિદેશમાં પ્રાપ્ત રોજગાર અને કારકિર્દીલક્ષી માહિતી વિશે ૧૨ મેના રોજ સેમિનાર યોજાશે

જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા અમરેલી જિલ્લાના વિદેશ જવા ઈચ્છુક યુવાનોને વિદેશમાં પ્રાપ્ય રોજગાર અને ઉચ્ચ અભ્યાસની માહિતી તેમજ માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી આગામી તા. ૧૨ મે, ૨૦૨૬ના રોજ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

સેમિનાર આઇ.ટી.આઇ બાબરા ખાતે સવારે ૧૧.૦૦ કલાકથી યોજાશે. આ સેમિનારમાં વિદેશ જવા ઈચ્છુક યુવક અને યુવનાને માર્ગદર્શન આપવામાં આવશે. તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રી, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts