સાવરકુંડલા શહેરમાં ઝંઝાવતી પ્રચાર કરતા જેનીબેન ઠુંમર
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/05/PHOTO-2024-05-04-19-32-38-1140x620.jpg)
સાવરકુંડલા શહેરમાં અમરેલી લોકસભા કોંગ્રેસના મહિલા ઉમેદવાર જેનીબેન ઉમરે લોક સંપર્ક કર્યો હતો વેપારીઓને મળી અને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. આજે કે વેપારીઓ તેમને ઉમેદવાર આવકાર્યા હતા અને સાવરકુંડલાના કાટા ઉદ્યોગ તેમજ લોખંડ ઉદ્યોગના વિકાસ માટે આગામી સમયમાં કામ કરવામાં આવશે સાવરકુંડલા શહેર થી લાંબા અંતરની પેસેન્જર ટ્રેન નો અયોધ્યા, ચારધામ યાત્રા, કાશી, મથુરા, ની ટ્રેનો શરૂ થાય તેવી જેનીબેન લોકોને ખાતરી આપી હતી અને કહ્યું હતું કે હું સાંસદ તરીકે ચૂંટાઈશ એટલે મારી પહેલી રજૂઆત સાવરકુંડલા થી લાંબા અંતરની પેસેન્જર ટ્રેન મળે એ રહેશે સાવરકુંડલા શહેરના પ્રાથમિક પ્રશ્નો પાણી રસ્તા પર પૂરતું ધ્યાન આપવામાં આવશે આ ઉપરાંત સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પૂરતા ભાવ મળે અને એમએસપી મુજબ ખેડૂતોને પૂરતા ભાવ મળે તેવી રાહુલ ગાંધીએ કોંગ્રેસના ચૂંટણી મેનિફેસ્ટોમાં વચન આપ્યું છે
તેનું પાલન કરવાના અમારા પ્રયત્નો રહેશે સાવરકુંડલા શહેરમાં બહેનોના રોજગારી મળી રહે તે માટે ગૃહ ઉદ્યોગમાં કાર્યરત સંસ્થાઓના વિકાસ માટે પણ કાર્ય કરવામાં આવશે આ ઉપરાંત સાવરકુંડલા શહેરમાં શૈક્ષણિક વિકાસ થાય તે માટે સંસ્થાઓ અને સરકાર સ્તરે રજૂઆત રહેશે અને આરોગ્યની સારામાં સારી સુવિધા મળે તે માટે જેનીબેને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી આપી હતી આ તકે જેનીબેન ઠુંમર સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત, ચંદ્રેશભાઈ રવાણી,તાલુકા પ્રમુખ નરેશભાઇ દેવાણી, હસુભાઈ સૂચક, કનુભાઈ ડોડીયા, હાર્દિકભાઈ કાનાણી, અશ્વિનભાઈ ધામેલિયા,વિનુભાઈ ગુંદરણીયા, મહેશભાઈ જયાણી, જીજ્ઞેશભાઈ ભરાડ, અહેમદ ભાઈ,ઇમરાન ભાઈ , વલ્લભભાઈ ઝીંઝુવાડીયા, ઓસાભાઈ પઠાણ, ઈકબાલભાઈ ધોરી, કિરીટભાઈ દવે, ભૂપતભાઈ ચુડાસમા વિજયભાઈ રાઠોડ,સહિલભાઈ શેખ, ભરતભાઈ , અશોકભાઇ ખુમાણ, નસિરભાઇ ચૌહાણ, રાજેભાઈ સહિત ના કાર્યકરો પ્રવાસમાં જોડાયા હતા.
Recent Comments