ભાવનગર ગ્રામ્યનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા કલેકટર શ્રી આર. કે. મહેતાની અધ્યક્ષતામાં તા. ૨૫ ફેબ્રુઆરીના રોજ યોજાશે
ફેબ્રુઆરી-૨૦૨૫ ના મહિનાનો “મુખ્યમંત્રીશ્રી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમનું આયોજન તા. ૨૫/૦૨/૨૦૨૫ અને મંગળવારનાં રોજ સવારે ૧૧-૦૦ કલાકે તાલુકા મામલતદાર કચેરી, આઈ.ટી.આઈ.વાળો ખાંચો, વિદ્યાનગર, ભાવનગર ખાતે શ્રી જિલ્લા કલેકટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ છે.
ભાવનગર તાલુકાના પ્રજાજનોને ગ્રામ્યકક્ષાના પ્રશ્નો માટે સંબંધિત તલાટી-કમ – મંત્રીને તથા તાલુકા કક્ષાના પ્રશ્નો હોય તે તા:૧૦/૦૨/૨૦૨૫ સુધીમાં મામલતદાર, ભાવનગર (ગ્રામ્ય), ભાવનગરની કચેરીને સાદી અરજીમાં બે નકલમાં પહોંચાડી આપવા મામલતદાર, ભાવનગર (ગ્રામ્ય)ની યાદીમાં જણાવવામાં આવે છે.
Recent Comments