કેનેડામાં તાજેતરમાં નવી સરકારની રચના થઇ છે. આ સરકારના કાર્યકાળની શરૂઆતના સમયમાં જ ખાલિસ્તાનીઓએ હિંદુ વિરૂદ્ધ ઝેર ઓકવાનું શરૂ કરી દીધું છે. કેનેડામાં ફરી એકવાર હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. ટોરેન્ટોમાં હિન્દુ વિરોધી એક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કેનેડાના પત્રકાર જેનિયલ બોર્ડમેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પોસ્ટ શેર કરી છે. જેમાં વીડિયો પણ જોડવામાં આવ્યો છે. વીડિયોમાં ખથિચ રીતે મલટનના ગુરુદ્વારામાં કથિત રીતે હિન્દુ વિરોધી પરેડ જોવા મળી હતી. બોર્ડમેને પોસ્ટમાં કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીની સરકારને સવાલ પણ પૂછ્યા છે. તેમણે લખ્યું હતું કે, તેઓ પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટુડોની ખાલિસ્તાનીઓ પ્રતિ નરમ વલણ અપનાવશે કે સખત રહેશે..
પત્રકાર બોર્ડમેને X પર લખ્યુ કે, ‘ અમારા રસ્તાઓ પર હોબાળો મચાવનારા જેહાદીઓએ સામાજિક માળખાને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને દરેક યહૂદીને ધમકી આપી રહ્યા છે, પરંતુ ખાલિસ્તાનીઓ તેમને સમાજ માટે સૌથી ઘૃણાસ્પદ વિદેશી ભંડોળ ખતરો તરીકે સખત ટક્કર આપી રહ્યા છે. શું માર્ક કાર્નીનું કેનેડા જસ્ટિન ટ્રુડોના કેનેડાથી અલગ હશે?”
તેમજ સોશિયલ મીડિયા X પર શોન બિંદા નામના એક યૂઝરે લખ્યું હતું કે, ‘માલ્ટન ગુરુદ્વારા ટોરેન્ટોમાં કે-ગેંગે બેશરમીથી 8 લાખ હિન્દુઓને ભારત પરત મોકલવાની માંગ કરી છે.આ દરેક ત્રિનિદાદ, ગુયાના, સૂરીનામ, જમૈકા, દક્ષિણ આફ્રિકા, નેધરલેન્ડ, મલેશિયા, શ્રીલંકા, સિંગાપુર, કેન્યા અને અન્ય જગ્યાઓથી સંબંધ રાખે છે.’ બિંદાની આ પોસ્ટને પત્રકાર બોર્ડમેને રિપોસ્ચ કરી હતી.
મહત્વનું છે કે, આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ ખલિસ્તાની તત્વો વિરૂદ્ધ કડક હાથે નવી સરકાર કામ કરે તેવી લોકમાંગ પ્રબળ બની રહી છે. વિતેલા કેટલાય સમયમાં ખાલિસ્તાનીઓ કેનેડામાં માથુ ઉંચકી રહ્યા છે, પરંતુ તેમને ડામવામાં સ્થાનિક સરકારો હજી સુધી નિષ્ફળ રહી છે.
Recent Comments