બોલિવૂડ

ઈરાનમાં ભારતીય દૂતાવાસે ઈરાની અધિકારીઓને ગુમ થયેલા ૩ ભારતીયોને ‘તાત્કાલિક શોધી કાઢવા, સલામતી સુનિશ્ચિત કરવા‘ અરજ કરી

તેહરાનમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, તેમના દ્વારા ઈરાની અધિકારીઓ સાથે ગુમ થયેલા ત્રણ ભારતીય નાગરિકો, જે બધા એક જ પરિવારના છે, જે ઈરાન પહોંચ્યા પછી ગુમ થઈ ગયા હતા, તેમના કેસને મજબૂતીથી ઉઠાવ્યો છે. તેમણે વિનંતી કરી હતી કે ગુમ થયેલા ભારતીયોને “તાત્કાલિક શોધી કાઢવામાં આવે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.” જાેકે, દૂતાવાસે સ્પષ્ટતા કરી નથી કે ત્રણેય ભારતીયો ઈરાનમાં ક્યારે અને ક્યાં ગુમ થયા હતા.
આ સંદર્ભે “ત્રણ ભારતીય નાગરિકોના પરિવારના સભ્યોએ ભારતીય દૂતાવાસને જાણ કરી છે કે તેમના સંબંધીઓ ઈરાનની મુસાફરી કર્યા પછી ગુમ થઈ ગયા છે,” દૂતાવાસે ઠ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું.
“અમે દૂતાવાસ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે પરિવારના સભ્યોને નિયમિતપણે અપડેટ રાખીએ છીએ,” પોસ્ટમાં ઉમેર્યું.
ગુમ થયેલા ત્રણ ભારતીયો પંજાબના સંગરુર, હોશિયારપુર અને એસબીએસ નગરથી ઈરાન ગયા હતા.

Related Posts