ભાવનગર જિલ્લાનાં તમામ નાણાં ધિરધારકો કે જે ગુજરાત નાણા ધિરધાર કરનારા અધિનિયમ-૨૦૧૧ અને
નિયમો-૨૦૧૩ અન્વયે નાણા ધિરધાર કરવા માટેનો પરવાનો ધરાવે છે અને પરવાનો રીન્યુ ન કરાવતા તમામ
શાહુકારોને જણાવવાનું કે ગુજરાત નાણાં ધિરધાર કરનારા બાબત અધિનિયમ-૨૦૧૧ ની કલમ-૯ ની જોગવાઈ
મુજબ રજિસ્ટ્રેશન તાજુ કરવાની અરજી નિયત સમયમર્યાદામાં E-Cooperative (https://ecooperative.gujarat.gov.in)
પર નિયત આધાર પુરાવા સાથે રજૂ કરવાની રહેશે. આ બાબતે સદર નોટિસ મળ્યા તારીખથી દિન-૧૦ માં
લેખિત/મૌખિક ખુલાસો અત્રેની કચેરીમાં રજુ કરવા. નિયત સમયમર્યાદામાં ખુલાસો કે અરજી રજુ કરવામાં કસુર
કરનાર આ બાબતે કઇ રજુઆત કરવા માંગતા નથી. તેમ માની અને રજુ કરાયેલ ખુલાસો અસંતોષકારક જણાશે તો
તેઓની વિરુધ્ધ એક તરફી સદર હું રજિસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી ગુજરાત નાણાંની ધિરધાર કરનારા
અધિનિયમ-૨૦૧૧ અને નિયમો-૨૦૧૩ જોગવાઈ મુજબ હાથ ધરવામાં આવશે તેમ શ્રી એ. ડી. દેસાઇ શાહુકારોના
નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
ભાવનગર જિલ્લાના નાણાં ધિરધારકોના લાયસન્સની મુદ્દત પૂર્ણ થઈ હોઈ તેવા ધિરધાર શાહુકારોને લાયસન્સ રિન્યૂ કરવા તાકીદ















Recent Comments