થોરડી ખાતે સંગોષ્ઠિમાં શ્રી મોરારિબાપુનું ઉદબોધન
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/02/IMG-20230217-WA0070.jpg)
સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ આંબલા અંતર્ગત શિક્ષણ સજ્જતા શિબિરનું સાવરકુંડલા પાસે શ્રી લોકવિદ્યા મંદિર થોરડી ખાતે થયેલા આયોજનમાં શ્રી મોરારિબાપુની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. રવિકૃપા સંસ્થાના સહયોગ સાથેની આ પાંચ દિવસીય સંગોષ્ઠિમાં ‘કૃત્રિમ બુદ્ધિમત્તા’ વિષય કેન્દ્ર સ્થાને હોઈ વિવિધ લોકશાળા વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થયેલ નિદર્શન શ્રી મોરારિબાપુએ નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરી ઉદ્બોધન કર્યું હતું. સંસ્થાના વડા શ્રી કાંતિભાઈ પરસાણા અને સંસ્થા પરિવાર સાથે વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત કરવામાં આવેલ.
Recent Comments