એકતા અને પર્યાવરણ જતનનો વૃક્ષારોપણ દ્વારા આપ્યો સંદેશ
તળાજા તાલુકાના ટીમાણા ગામે ગ્રામજનો અને પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણની જાળવણી અને માનવજીવન માટે અતિ ઉપયોગી એવા દેશી કુળના લીમડા, વડ, કરંજ સહિતના ૫૦થી વધુ ઔષધીય અને છાંયડો આપતા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.
આ સુંદર આયોજનમાં ગામના વડીલો, ઉત્સાહી યુવાનો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. વડીલોના માર્ગદર્શન હેઠળ યુવાનો અને બાળકોએ એકસાથે મળીને કરેલી આ કામગીરી ગામની એકતા, શિસ્ત અને ઉચ્ચ સંસ્કારોનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે.
માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ વાવેલા તમામ છોડ પૂર્ણપણે ઉછેરીને ઘટાદાર વૃક્ષ ન બને ત્યાં સુધી તેની પૂરતી સંભાળ અને જતન કરવાની સામૂહિક જવાબદારી પણ સૌ પ્રકૃતિ પ્રેમીઓએ સ્વીકારી હતી. અંતમાં કુદરતનો આભાર માનીને સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો હતો.
















Recent Comments