રાષ્ટ્રીય

રશિયાએ યુક્રેનમાં તબાહી મચાવી, રશિયાએ યુક્રેન પર ૩૬૭ ડ્રોન અને મિસાઈલ છોડ્યા, ૧૩ના મોત, અનેક ઘાયલ

રશિયાએ ફરી એકવાર યુક્રેન ભયંકર હુમલો કર્યો હતો જેમાં ૩૬૭ જેટલા ડ્રોન અને મિસાઈલ છોડ્યા હતા. જે હુમલાથી યુક્રેનમાં મોટા પ્રમાણમાં તબાહી મચી ગઈ છે. આ યુદ્ધ શરૂ થયા બાદથી અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો ગણાવાય રહ્યો છે. માહિતીના અનુસાર, ઓછામાં ઓછા ૧૩ લોકોના મોત થયા છે, જેમાં ત્રણ બાળકો પણ સામેલ છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.
તે પછી યુક્રેને દાવો કર્યો છે કે, તેમની એરફોર્સે રશિયાના ૨૬૬ ડ્રોન અને ૪૫ મિસાઈલોને તોડી પાડ્યા છે. જાે કે, નુકસાનને સંપૂર્ણ રીતે રોકી ન શકાયું. આ હુમલામાં એપાર્ટમેન્ટ અને બિલ્ડિંગ્સને નુકસાન થયું છે. રશિયા બેલેસ્ટિક મિસાઈલ હુમલા કરવામાં પણ પાછળ નથી હટી રહ્યું.
દક્ષિણી યુક્રેનના મિકોલાઇવમાં રશિયાના ડ્રોન એટેકમાં એક ૭૭ વર્ષના વૃદ્ધનો જીવ પણ ગયો. આ સિવાય એપાર્ટમેન્ટમાં તબાહી મચી. બિલ્ડિંગની ચોતરફ કાટમાળ પડેલો છે. આ હુમલા બાદ વોલોદિમીર ઝેલેંસ્કીએ એકવાર ફરી અમેરિકાને નિશાને લીધું છે. તેમણે કહ્યું કે, તેના માટે ડોનાલ્ડ ટ્રમ્પ જ જવાબદાર છે.
ઝેલેંસ્કીએ કહ્યું હતું કે, અમેરિકા અને વિશ્વનું મૌન વ્લાદિમીર પુતિનના ઉત્સાહમાં વધારો કરી રહ્યું છે. રશિયા યુક્રેન પર આતંકવાદી હુમલા કરી રહ્યું છે. શું તેના પર પ્રતિબંધ લગાવવા માટે કાફી નથી? વગર દબાણથી કંઈ પણ બદલવાનું નથી. રશિયા અને તેના સહયોગી પશ્ચિમી દેશોમાં આવી જ તબાહી મચાવતા રહેશે.
રશિયાએ દાવો કર્યો છે કે, તેમણે યુક્રેનના ૯૫ ડ્રોન તોડી પાડ્યા છે. જેમાંથી ૧૨ને મોસ્કોની નજીક ઇન્ટરસેપ્ટ કરાયા. જણાવી દઈએ કે, તૂર્કિયેમાં રશિયા અને યુક્રેનના પ્રતિનિધિમંડળ વચ્ચે શાંતિ વાતાઘાટો થઈ હતી. બે કલાકથી ઓછા સમયની આ વાતાઘાટોમાં કોઈ ઉકેલ આવ્યો ન હતો. યુક્રેન ઇચ્છતું હતું કે, રશિયા ઓછામાં ઓછા એક મહિના માટે સીઝફાયર માટે તૈયાર થઈ જાય. ત્યારબાદ વાતઘાટોને આગળ વધારી શકાય. ત્યારે રશિયા સીઝફાયર માટે તૈયાર ન હતું. બંને દેશો વચ્ચે ૧૦૦૦ બંધકોની મુક્તિને લઈને ડીલ થઈ હતી.

Related Posts