અમરેલી

અમરેલી ખાતે મિશન LIFE અંતર્ગત યોગ શિબિરનું સફળ આયોજન : ૨૫૦ નાગરિકો યોગ સેશનમાં જોડાયા

ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગના ઠરાવ હેઠળ જિલ્લાઓમાં ક્લાઈમેટ ચેન્જની અસર ઘટાડવા માટે પગલા લેવા જરૂરી છે. મિશન લાઈફની પ્રવૃત્તિઓના પ્રચાર પ્રસાર અન્વયે સરદાર પટેલ સંકુલ, ચિત્તલ રોડ, અમરેલી યોગ શિબિરનું સફળ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એન.જી.ઓના સભ્યો સહિત યોગબોર્ડના ૨૫૦ લોકોએ ભાગ લીધો હતો તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

Related Posts