રાજ્ય સરકારનાં આદેશ અનુસાર માહે મે-૨૦૨૬ નો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૬/૦૫/૨૦૨૬
ને મંગળવારના રોજ સવારનાં ૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી, તળાજા ખાતે સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ
અધ્યક્ષશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ભાવનગરના અધ્યક્ષ સ્થાને ગ્રામ્ય કે તાલુકા કક્ષાનાં પ્રશ્નોનો નિકાલ કરવા
માટે રાખવામાં આવેલ છે.
અરજદાર પાસેથી તા.૧૫/૦૫/૨૦૨૬ સુધીમાં આધાર પુરાવા તથા પોતાના પુરા નામ-સરનામા અને
મોબાઈલ નંબર સાથે અરજી મંગાવવામાં આવે છે. પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે “તાલુકા સ્વાગત ફરીયાદ
નિવા૨ણ કાર્યક્રમ”ના મથાળા હેઠળ મામલતદારશ્રી, તળાજાને અરજી કરવાની રહેશે.
આ કાર્યક્રમમાં અરજી રજુ કરતાં પહેલા ગ્રામ્ય કે તાલુકા કક્ષાએ સંબંધિત કચેરીને અરજી કરેલી હોવી જોઇએ
અને તે અનિર્ણિત હોવી જોઇએ. આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ હાજર ૨હી એક જ વિષયને લગતી રજુઆત કરી
શકાશે. સામુહિક રજુઆત કરી શકાશે નહી. આ કાર્યક્રમમાં સર્વિસ મેટર-નીતી વિષયક તથા કોર્ટ મેટર સિવાયના
પડતર પ્રશ્નો/અરજીઓ સ્વીકારવામાં આવશે જેની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે. તેમ મામલતદારશ્રી
તળાજા ની યાદીમાં જણાવાયું છે.
તળાજા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૬ મે ના રોજ યોજાશે















Recent Comments