અમરેલી

અમરેશ્વર મહાદેવ ના સાનિધ્ય માં આદ્ય જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ ની જન્મ જંયતીની ઉજવણી કરાય

સુરતના અમરોલી ખાતે અમરેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં સનાતન ધર્મ ના ઉત્થાન માટે ભગીરથ કાર્ય કરીને સનાતન ધર્મ નું પુનરોદ્ધાર કરનાર આદ્યજગતગુરુ શંકરાચાર્યજી મહારાજ ની જન્મ જંયતીની ઉજવણી ધામધુમથી કરવામાં આવેલ શંકરાચાર્યજી જયંતી ઉજવણી નીમીતે વિશાળ સંખ્યામાં સંતો મહંતો અગ્રણી ઓ તેમજ અમરોલી પોલીસ સ્ટેશન ના પી.આઇ એન કે ગોસ્વામી ની વિશેષ ઉપસ્થિત રહેલ  વૈશાખ સુદ પાંચમ ને મંગળવારના રોજ શંકરાચાર્યજી ની છબીનુ પૂજન ,આરતી, મંત્રોચ્ચાર તેમજ સંતો મહંતો કલાકારોએ શંકરાચાર્ય વિશે પ્રવચન આપ્યું હતું સુરતમા અમરોલી વિસ્તારમાં સુરત દેવસ્થાન પૂજારી મંડળના સંતો મહંતો અને ગોસ્વામી સમાજ દ્વારા  જગતગુરૂ શંકરાચાર્યજી જન્મજયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી તમામ વ્યવસ્થા અમરેશ્વર મહાદેવ ના મહંત લાલગીરીબાપુ દ્વારા કરવામાં આવી હતી 

Related Posts