અમરેલી

સાવરકુંડલાની તપોભૂમિ પર ગુંજશે સંતવાણી: સંતશ્રી દાસીજીવણ સાહેબની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન

ભક્તિનો માહોલ છે ને 

સંતોના આશીર્વાદ છે,

કુંડલાની આ ધરા પર 

ભજનોના નાદ છે.

​શ્રી જીવણ સાહેબ બિરાજશે 

હવે નિજ ધામમાં,

શ્રદ્ધા તણો ઉત્સવ હવે છે                    મેઘવાળના આંગણે.

–“પાંધી સર” 

​સાવરકુંડલાની પવિત્ર ધરા પર આગામી ચૈત્ર સુદ પૂનમ (હનુમાન જયંતી), તા. ૦૨/૦૪/૨૦૨૬ ના રોજ એક ઐતિહાસિક ધાર્મિક ઉત્સવ મનાવવામાં આવશે. મેઘવાળ સમાજ દ્વારા આયોજિત આ મહોત્સવમાં રવિભાણ સંપ્રદાયના સંતશ્રી દાસીજીવણ સાહેબની નૂતન મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ શાસ્ત્રોક્ત પદ્ધતિથી સંપન્ન થશે.

આ મહોત્સવ અંતર્ગત સાંજે ૦૫:૦૦ થી ૦૭:૦૦ દરમિયાન ‘મહાસતકાર સમારોહ’ યોજાશે, જેમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા સાહેબ તથા વિવિધ રાજકીય આગેવાનો અને સંતો-મહંતો ઉપસ્થિત રહી શોભા વધારશે. રાત્રે ૦૭:૦૦ કલાકે અખંડ જ્યોત સાથે બાબા રામદેવપીરનો ભવ્ય ‘જ્યોતપાટ’ યોજાશે, ત્યારબાદ રાત્રે ૧૦:૦૦ કલાકે નામાંકિત ભજન આરાધકો દ્વારા ભવ્ય ‘સંતવાણી’ પીરસવામાં આવશે.

આ પ્રસંગે સમગ્ર મેઘવાળ સમાજ માટે ‘ધુમાડા બંધ’ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. રવિભાણ સંપ્રદાયના સંતોના દિવ્ય આશીર્વાદ સાથે યોજાનારા આ મહોત્સવમાં પધારવા આયોજકો દ્વારા જાહેર જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

​સ્થળ: દશનામી જૂના હનુમાનજી જગ્યા, રેલ્વે સ્ટેશન રોડ, સાવરકુંડલા.

Related Posts