અમરેલી

દામનગરથી ભુરખીયા તરફ જતા રસ્તા પર ઓવરબ્રીજની કામગીરીને લઈને તમામ વાહન ચાલકોએ વૈકલ્પિક રૂટ અનુસરવા

જિલ્લાના દામનગરથી ભુરખીયા તરફ જતા રસ્તા પર ઓવરબ્રીજની કામગીરીને લઈને તમામ વાહન ચાલકોએ વૈકલ્પિક રૂટ અનુસરના રહેશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ વૈકલ્પિક રૂટનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

વૈકલ્પિક રૂટ-૧ મુજબ લાઠી-ભુરખીયા તરફથી આવતા વાહનોએ ગુરૂકુળના આગળના ભાગેથી બજરંગનગર-છભાડીયા ફાટકથી વાયા અવાડા ચોકથી નગરપાલિકા મેઈન રોડ પરથી પસાર થવાનું રહેશે. 

વૈકલ્પિક રૂટ-૨ મુજબ ઢસા-દામનગર તરફથી આવતા વાહનોએ નગરપાલિકા મેઈન રોડ-અવાડા ચોકથી,છભાડીયા ફાટક વાયા બજરંગનગર થઈને ગુરૂકુળના આગળના ભાગેથી લાઠી-ભુરખીયા રોડ પરથી પસાર થવાનું રહેશે. આ જાહેરનામું તા.૧૫.૦૫.૨૦૨૬ સુધી અમલી રહેશે. હુકમના ભંગ બદલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૧ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

Related Posts