ઉમરાળા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) નાં શુભેચ્છક રાજકોટ તેમજ અન્ય દાતાઓને અનુદાન માટે પ્રેરક એવા સદ્ભાવના વૃધ્ધાશ્રમ ટ્રસ્ટ નાં સ્થાપક પ્રમુખ અને વહીવટકર્તા કે જેઓ ગ્રીનમેન તરીકે પણ ઓળખાય છે તેવા શ્રી વિજયભાઈ ડોબરિયા તેમજ જીવદયા પ્રેમી ઓલ ઇન્ડિયા એનિમલ બોર્ડ ના મિતલભાઈ ખેતાણી એ તા.૧૯.૩.૨૬ નાં રોજ આપણી હોસ્પિટલની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે તેઓશ્રીએ ૧૫૧ ક૨ોડ વૃક્ષો વાવીને ઉછે૨ ક૨વાનો સંકલ્પ કરેલ તે પૈકીનાં ૧૫ કરોડ વૃક્ષોનો ઉછેર કરી સંકલ્પ પૂર્ણ કરેલ છે. ઉપરાંત માવતરોને સાચવવા તાજેતરમાં રાજકોટ ખાતે ૫૦૦ કરોડથી વધુનાં ખર્ચે નિર્માણ થયેલ સુવિધાયુકત વૃધ્ધાશ્રમ નું પૂ. મોરારી બાપુ નાં વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવેલ છે.
શ્રી વિજયભાઈ ડોબરિયા અને મીટલભાઈ ખેતાણી નું ટ્રસ્ટીશ્રી-નટુભાઈ રાજપરા અને ટ્રસ્ટીશ્રી-બી.એલ. રાજપરા દ્વારા ‘મોમેન્ટો’ અર્પણ કરીને સન્માનિત ક૨વામાં આવેલ.















Recent Comments