અમરેલી જિલ્લામાં આજે વધુ એક કોરોના દર્દીનું કરુણ મૃત્યુ. આજે 12 પોઝિટિવ કેસ નોંધાયા સામે 17 કેસો ડિસ્ચાર્જ.
અમરેલી જિલ્લામાં આજે વધુ એક કોરોના દર્દીનું કરુણ મૃત્યુ થયું હતું. અમરેલીના જેસિંગપરા ના 69 વર્ષોય કોરોના પુરુષ દર્દીનું કરુણ મોત થયું.
તંત્ર દ્વારા કોરોના સંક્રમણને કાબુમાં લેવા અથાગ પ્રયાસો કરી રહ્યું છે તેમ છતાં પોઝિટિવ કેસોમાં સતત વધારો જોવા મળી રહયો છે. આજે રિકવરી રેટમાં સુધારો થતા 17 દર્દીઓ ડિસ્ચાર્જ થયા. તંત્ર દ્વારા કરતા પ્રયાસમાં લોકો મદદ રૂપ થાય. અત્યારે માસ્ક જ એક માત્ર વેકસીન હોવાથી લોકોએ માસ્ક ફરજીયાત પહેરી અને સોશ્યલ ડિસ્ટનસિંગ નું પાલન કરી પોતાનું અને પરિવારનું જીવન સુરક્ષિત રાખે. આજ તા. 8 ડિસેમ્બરના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લામાં વધુ 12 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 157 દર્દીઓ છે. આજે 17 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 39 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 3277 પર પહોંચી છે.
અમરેલીમાં કોરોનાથી 69 વર્ષીય વૃદ્ધનું મોત, વધુ 12 કેસ નોંધાયા, જિલ્લામાં હજુ 157 દર્દીઓ સારવાર હેઠળ, કુલ કેસની સંખ્યા 3277 પર

Recent Comments