અમરેલી

દામનગર ભગવાન શ્રી નર્સિહજી મંદિર ખાતે વ્યાસ પૂર્ણિમા ઉજવણી થશે

દામનગર શહેર માં શ્રી નર્સિહજી પરિસર માં વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ ની દિવ્ય ઉજવણી કરાશે ઉત્સવો ના આલોક માં આવતા દરેક પૂર્વ દાન ધર્મ અને સાત્વિક કરુણા દરેક જીવાત્મા માં ઈશ્વરી અંશ ના અસ્તિત્વ ની હાજરી દર્શાવે છે પ્રાચીન સંસ્કૃતિ ના ઋષિ મુનિ ઓને પારસમણી સાથે સરખાવ્યા છે દરેક દુર્ગુણ માથી મુક્ત કરી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ દોરી જતા ગુરુ પૂર્ણિમા ના પાવન પર્વ એ “ગુરુ મારા ગંગા ગુરુ મારા ગોમતી ગુરુ મારા પારસમણી” ગુરુ શિષ્ય ની પવિત્ર પરંપરા નું પર્વ વ્યાસ પૂર્ણિમા અંતર ની આરઝૂ ને ઈશ્વર સાથે સાંધી દેતા સદગુરુ દેવ પ્રત્યે આદર સત્કાર અને આદર્શ માનવ બનવા માટે ઋષિ ચિંતન ના સાનિધ્ય આવવું વિક્રમ સવંત ૨૦૮૨ અષાઢ સુદ પૂર્ણિમા તા ૨૯/૦૭/૨૬ ને બુધવારે દામનગર ભગવાન શ્રી નર્સિહજી મંદિર ખાતે દિવ્ય વ્યાસ પૂર્ણિમા નું આયોજન પંડિત રત્ન શાસ્ત્રી નયન જોષી પરિજનો દ્વારા વ્યાસ પૂર્ણિમા મહોત્સવ ઉજવાશે સમગ્ર સેવક સમુદાય મા અદમ્ય ઉત્સાહ

Related Posts